Site icon

Parliament controversy: સંસદ પ્રાંગણમાં ધક્કા મુક્કી મામલે લોકસભાના સ્પીકર ઓમ બિરલા કડક, સંસદ ભવનના તમામ ગેટ પર વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ..

Parliament controversy: લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કડક સૂચના આપી છે કે કોઈપણ રાજકીય પક્ષ, સંસદસભ્ય અથવા સભ્યોનું જૂથ સંસદ ભવનના ગેટ પર કોઈ વિરોધ કે પ્રદર્શન નહીં કરે. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લગતી ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણીના વિરોધમાં વિપક્ષના સભ્યોએ ગુરુવારે માર્ચ કાઢી હતી, જ્યારે ભાજપના સાંસદોએ કોંગ્રેસ પર બાબાસાહેબનું અપમાન કરવાનો આરોપ લગાવીને વિરોધ કર્યો હતો.

Parliament controversy Lok Sabha Speaker issues strict ban on demonstrations at Parliament House gates

Parliament controversy Lok Sabha Speaker issues strict ban on demonstrations at Parliament House gates

News Continuous Bureau | Mumbai

 Parliament controversy: ગઈકાલે ગુરુવારે શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે ઝપાઝપીની ઘટના પછી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એક્શનમાં આવ્યા છે. તેમણે નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ રાજકીય પક્ષ, સાંસદ અને સાંસદોનું જૂથ સંસદના કોઈપણ ગેટ પર વિરોધ કરી શકશે નહીં. અહેવાલ છે કે ‘લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કડક સૂચના આપી છે કે કોઈપણ રાજકીય પક્ષ, સંસદસભ્ય અથવા સભ્યોનું જૂથ સંસદ ભવનના ગેટ પર કોઈ વિરોધ કે પ્રદર્શન નહીં કરે.’

Join Our WhatsApp Community

 Parliament controversy:  કોંગ્રેસ પર બાબાસાહેબનું અપમાન કરવાનો આરોપ

મહત્વનું છે કે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લઈને ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણીના વિરોધમાં વિપક્ષના સભ્યોએ ગુરુવારે માર્ચ કાઢી હતી, જ્યારે ભાજપના સાંસદોએ કોંગ્રેસ પર બાબાસાહેબનું અપમાન કરવાનો આરોપ લગાવીને વિરોધ કર્યો હતો. સંસદભવનના ‘મકર ગેટ’ પાસે શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો એકબીજાની સામે આવી ગયા અને સૂત્રોચ્ચાર કર્યા.

ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ધક્કો માર્યો. જેના કારણે તેના વરિષ્ઠ સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા. ભાજપના સાંસદ મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા છે. બીજી તરફ, કોંગ્રેસનો દાવો છે કે ભાજપના સાંસદોએ તેના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અનેક મહિલા સાંસદોને સંસદભવનમાં પ્રવેશતા અટકાવ્યા અને તેમની સાથે ધક્કા મુક્કી કરી.

આ સમાચાર પણ વાંચો  : Mumbai Congress Office :રાહુલ ગાંધીના નિવેદનનો મુંબઈમાં વિરોધ, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો, તોડફોડ કરી; જુઓ વીડીયો

 Parliament controversy:  અમિત શાહ પર  વિરોધ પક્ષોએ લગાવ્યો આ આરોપ 

 એટલું જ નહીં કોંગ્રેસ અને અન્ય ઘણા વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો છે કે અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં ‘ભારતના બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા’ વિષય પર બે દિવસીય ચર્ચાનો જવાબ આપતાં તેમના સંબોધન દરમિયાન બાબાસાહેબનું અપમાન કર્યું હતું.

 Parliament controversy: ભાજપે આ આક્ષેપ કર્યો હતો

મુખ્ય વિપક્ષી દળે શાહના સંબોધનનો એક વિડિયો પણ બહાર પાડ્યો હતો, જેમાં ગૃહમંત્રીને વિપક્ષ પર કટાક્ષ કરતા અને કહેતા સાંભળી શકાય છે, “આજકાલ આંબેડકરનું નામ લેવું એક ફેશન બની ગઈ છે. શાહે આગળ કહ્યું, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો તમે આ ભગવાનનું નામ લીધું હોત તો તમે સાત જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે હંમેશા બાબાસાહેબનું અપમાન કર્યું અને ચૂંટણીમાં પણ તેમને હાર્યા.

 

 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version