Site icon News Continuous Bureau | Mumbai

Parliament Security Breach: સંસદમાં ઘુસણખોરી કરનારા આરોપીઓ સામે UAPA હેઠળ નોંધાયો કેસ.. આ તારીખે થશે કોર્ટમાં હાજર.. જાણો મુખ્ય બાબતો વિગતે અહીં…

Parliament Security Breach: 13 ડિસેમ્બર 2001ના રોજ જ્યારે દેશની જૂની સંસદ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે દરેક લોકો તેને જોઈને દંગ રહી ગયા હતા. બરાબર 22 વર્ષ પછી, એટલે કે 13 ડિસેમ્બર 2023ના રોજ સંસદ પર આતંકવાદી હુમલાની વરસી પર, બે લોકો લોકશાહીના મંદિરની સુરક્ષાને અવગણી અને લોકસભામાં પ્રવેશ કરીને સ્મોક અટેક કર્યો હતો..

Parliament Security Breach Case registered under UAPA against the main intruder accused.. Will appear in court today..

Parliament Security Breach Case registered under UAPA against the main intruder accused.. Will appear in court today..

 News Continuous Bureau | Mumbai

Parliament Security Breach: 13 ડિસેમ્બર 2001ના રોજ જ્યારે દેશની જૂની સંસદ ( Parliament ) પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે દરેક લોકો તેને જોઈને દંગ રહી ગયા હતા. બરાબર 22 વર્ષ પછી, એટલે કે 13 ડિસેમ્બર 2023ના રોજ સંસદ પર આતંકવાદી હુમલાની વરસી પર, બે લોકો લોકશાહીના મંદિરની સુરક્ષાને અવગણી અને લોકસભા ( Lok sabha ) માં પ્રવેશ કરીને સ્મોક અટેક ( Smoke Attack ) કર્યો હતો.

Join Our WhatsApp Channel

એ જ તારીખ પણ નવી સંસદ. જ્યારે લોકસભાના ગૃહની અંદર, બે માણસો અચાનક દર્શકોની ગેલેરીમાંથી નીચે કૂદી પડે છે અને તેમના બુટમાંથી પંપ કાઢીને સ્મોક અટેક કરે છે. આ પછી, ધુમાડો આખા સંસદ ગૃહમાં ફેલાય છે અને અરાજકતા ફેલાય જાય છે. આ સ્મોક એટેક માત્ર સંસદની અંદર જ નથી થયો પરંતુ બહાર પણ બે લોકો હાજર હતા, જેમાંથી એક મહિલા હતી. બાદમાં ચારેયની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ હુમલામાં કોઈ સાંસદને નુકસાન થયું નથી, પરંતુ સુરક્ષાને લઈને ચોક્કસ સવાલો ઉઠવા લાગ્યા છે.

દિલ્હી પોલીસના ( Delhi Police ) જણાવ્યા અનુસાર, આ પાંચ લોકો ત્રણ દિવસ પહેલા પોતપોતાના ઘરેથી ગુરુગ્રામ પહોંચ્યા હતા અને ત્યાં એક મિત્રના ઘરે રોકાયા હતા. આ પછી બે લોકો સંસદની અંદર અને બે લોકો સંસદની બહાર સ્મોક એટેક કર્યો હતો.

પાંચેય શકમંદો કથિત રીતે ભગત સિંહ ફેન્સ ક્લબ ( Bhagat Singh Fans Club ) નામના ફેસબુક ગ્રુપના ભાગ હતા…

પોલીસે તરત જ સાગર શર્મા (લખનૌ) અને ડી મનોરંજન (મૈસૂર)ને કસ્ટડીમાં લીધા હતા જેમણે સંસદની અંદર રંગીન ગેસ છોડ્યો હતો. વિરોધ કરતી વખતે અમોલ શિંદે (લાતુર) અને આધેડ મહિલા નીલમ (જીંદ)ને સંસદની બહાર ટ્રાન્સપોર્ટ ભવનની બહારથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ સિવાય ગુરુગ્રામના ( Gurugram ) લલિત ઝા નામના વ્યક્તિને પાંચમા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Allahabad Central University: અલ્હાબાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થી બનાવી રહ્યો હતો બોમ્બ… પછી અચાનક થયું કંઈક આવું..

પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદોની પૂછપરછ કરી રહેલા દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાંચેય શકમંદો કથિત રીતે ભગત સિંહ ફેન્સ ક્લબ નામના ફેસબુક ગ્રુપના ભાગ હતા અને છેલ્લા એક વર્ષથી એકબીજાને ઓળખતા હતા.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું, “સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડી મનોરંજન, અમોલ શિંદે સહિત ત્રણ લોકોએ રેકી કરી હતી. આ લોકો સાંસદોની બેઠકો અને ઓડિયન્સ ગેલેરી વિશે જાણતા હતા. આ લોકો જાણતા હતા કે તેઓ પોતાને નુકસાન પહોંચાડ્યા વિના નીચે કૂદી શકે છે.” અત્રે નોંધનીય બાબત એ છે કે સંસદનું ચોમાસુ સત્ર જૂની સંસદમાં યોજાયું હતું જ્યારે શિયાળુ સત્ર નવી સંસદમાં યોજાઈ રહ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે જે પાસ દ્વારા સાગર શર્મા અને ડી મનોરંજન સંસદમાં પ્રવેશ્યા હતા તે પાસ પર મૈસુરના બીજેપી સાંસદ પ્રતાપ સિંહાના હસ્તાક્ષર હતા. પોલીસનું કહેવું છે કે મનોરંજનનો પરિવાર સિમ્હાને ઓળખતો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ચોમાસુ સત્ર દરમિયાન આ લોકો કયા સાંસદના પાસથી આવ્યા હતા. ચોમાસુ સત્રના છેલ્લા દિવસે 10 ઓગસ્ટે અમોલ શિંદેએ પણ કર્તવ્ય પથ પરથી પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેના પરથી જણાય છે કે હુમલાખોર તે સમયે પણ શહેરમાં હાજર હતો.

સંસદમાં થયેલા હોબાળાની તપાસ કરતા દિલ્હી પોલીસે UAPA હેઠળ કેસ નોંધ્યો…

સંસદમાં થયેલા હોબાળાની તપાસ કરતા દિલ્હી પોલીસે UAPA હેઠળ કેસ નોંધ્યો છે અને તેની તપાસ એન્ટી ટેરર ​​યુનિટ સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવશે. તમામ આરોપીઓને સ્પેશિયલ સેલને સોંપવામાં આવી રહ્યા છે અને ડઝનબંધ ટીમો તપાસમાં લાગેલી છે. અનેક જગ્યાએ દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સીઓ તેને દેશ વિરોધી ઘટના તરીકે જોઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Weather Update: IMDનું એલર્ટ! ફુલ ગુલાબી ઠંડી વચ્ચે આ જિલ્લામાં પડશે વરસાદ.. શિયાળા વચ્ચે તાપમાન વધુ ઘટશે.. જાણો તમારા શહેરની શું રહેશે સ્થિતિ..

તે જ સમયે, ગૃહ મંત્રાલયે આ મામલે SITની રચના કરી છે. આ SITની રચના DG CRPFની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. લોકસભાના મહાસચિવે આ અંગે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો.

E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા
Kedarnath Mule Operators કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન, ખચ્ચર ચાલકો સામે વહીવટીતંત્ર લાલઘૂમ, લેવાશે કડક પગલાં!
Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી
Consumer court penalty on shoe brand ૬૦૦૦ના બ્રાન્ડેડ શૂઝનું ૧ મહિનામાં ઉખડી ગયું સોલ, કોર્ટે કંપનીને ફટકાર્યો મસમોટો દંડ
Exit mobile version