Site icon

લેન્ડિંગ પહેલા ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરનાર પેસેન્જર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.

નાગપુરથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને અકસ્માત નડ્યો છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ઉતરતા પહેલા ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરનાર મુસાફર સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના અંગે પ્લેનના ક્રૂ મેમ્બરોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Passenger booked for trying to open emergency gate in aircraft

લેન્ડિંગ પહેલા ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરનાર પેસેન્જર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.

News Continuous Bureau | Mumbai

ખરેખર શું થયું?

Join Our WhatsApp Community

આ સંદર્ભમાં મળતી માહિતી અનુસાર, નાગપુર-મુંબઈ ઈન્ડિગો ફ્લાઈટ (ફ્લાઈટ નંબર 6E-4274) 24 જાન્યુઆરી, મંગળવારે બપોરે લગભગ 12 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર આવી હતી. આ સમયે ક્રૂ મેમ્બર્સને ઈન્ડિકેટર દ્વારા સમજાયું કે કોઈ ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે ક્રૂ મેમ્બર્સ ઈમરજન્સી ડોર ( emergency gate ) પર પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે એક પેસેન્જરે ( Passenger  ) ઈમરજન્સી ડોર પરનું ગેટ કવર હટાવી દીધું હતું. કેબિન ક્રૂએ કેપ્ટનને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પેસેન્જરને જાણ કરવામાં આવી હતી. તે મુજબ પોલીસે આઈપીસીની કલમ 336 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ અંગે એરક્રાફ્ટના ક્રૂ મેમ્બર્સનો અભિપ્રાય નોંધવામાં આવશે, ત્યારબાદ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  ચોંકાવનારા સમાચાર : ઓડિશાના આરોગ્ય મંત્રી નબા કિશોર દાસની, પોલીસ અધિકારી દ્વારા ગોળી મારીને હત્યા

PACL Scam Refund: PACL કૌભાંડ: લાખો રોકાણકારો માટે આશાનું કિરણ, ED ₹15,582 કરોડની મિલકતો લોઢા સમિતિને સોંપશે
Government’s Digital Strike:સોશિયલ મીડિયા પર સરકારનો કડક સકંજો! નવા IT નિયમો જાહેર, ટેક કંપનીઓની જોહુકમી પર લાગશે બ્રેક.
LPG Crisis India 2026:LPG કટોકટી: સુરત-મુંબઈમાં મજૂરોની હિજરત શરૂ, રાજસ્થાનમાં ઉદ્યોગો પાયમાલ; ગેસ સપ્લાય ખોરવાતા હાહાકાર!
LPG Connection Surrender:શું તમારા વિસ્તારમાં PNG પાઈપલાઈન છે? જો ૩ મહિનામાં કનેક્શન નહીં લો તો LPG સપ્લાય અટકી જશે, જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version