Site icon News Continuous Bureau | Mumbai

વિદેશ જતા લોકોએ હવે રસીના બીજા ડોઝ માટે નહીં જોવી પડે રાહ; કેન્દ્ર સરકારે જાહેર કરી આ નવી ગાઇડલાઇન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ફરી એક વખત કોવિશીલ્ડ પહેલા અને બીજા ડોઝ વચ્ચેના અંતરને લઈ ફેરફાર કર્યા છે. હવે વિદેશ જતા લોકોએ કોવિશીલ્ડના બીજા ડોઝ માટે ૮૪ દિવસ સુધી રાહ નહીં જોવી પડે. કોવિશીલ્ડનો બીજો ડોઝ ૨૮ દિવસ પછી પણ લઈ શકાશે. જોકેકોવેક્સિન માટે બે ડોઝ વચ્ચે અંતર 28 દિવસ જ છે, એમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન તેમની માટે છે, જેમણે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લઈ લીધો છે અને તેમણે વિદેશયાત્રા પર જવાનું છે. આ વિદેશયાત્રા અભ્યાસ, રોજગાર અને ઑલિમ્પિક હેતુ હોઈ શકે છે. જોકેઆ પહેલાં પંજાબ વિદેશ જતા લોકોને કોવિશીલ્ડના પ્રથમ ડોઝ આપ્યાના 28 દિવસ બાદ બીજો ડોઝ આપશે. જિલ્લા તંત્રના અધિકારી દ્વારા 84 દિવસ નક્કી સમય પહેલાં બીજા ડોઝ લેવા માટે પરવાનગી મેળવવા પહેલાં તપાસ કરાશે.

એઇમ્સ પ્રવેશ પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, INI CET-2021 પરીક્ષા એક મહિના સુધી મુલતવી રખાઈ 

ઉલ્લેખનીય છે કે કોવિશીલ્ડના બીજા ડોઝ માટે આ ત્રીજી વખત ફેરફાર કર્યા છે. જોકેઅગાઉ બંને વખત બીજો ડોઝ લેવાની મુદત વધારવામાં આવી હતી અને આ વખતે અમુક શરતો સહિત આ નિયમમાં અપવાદ આપવામાં આવ્યો છે.

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version