Site icon

સગીર વયે લગ્ન થયાં હોય તો ૧૮ વર્ષ પહેલાં જ છૂટાછેડા માટે કોર્ટમાં યાચિકા કરવી પડે, નહિ તો આ રીતે લેવા પડે છૂટાછેડા

'Not having physical relationship after marriage is not cruelty under IPC', know why Karnataka High Court said this?

'Not having physical relationship after marriage is not cruelty under IPC', know why Karnataka High Court said this?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ગત વર્ષે જૂનમાં લુધિયાણા ફૅમિલી કોર્ટમાં છૂટાછેડાનો એક કેસ આવ્યો હતો. આ કેસમાં વર્ષ ૨૦૦૯માં લગ્ન થયાં એ વખતે છોકરો ૨૩ વર્ષનો હતો અને છોકરીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હતી. સગીર વયની ઉંમરે લગ્ન થયાં હતાં. આ વાતના આધારે યુવતીએ આટલાં વર્ષો બાદ છૂટાછેડા લેવા માટે કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી, જેને લુધિયાણા કોર્ટે ફગાવી દીધી હતી. 

ચંડીગઢ, પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે આ કેસમાં નિર્ણય આપતી વખતે કહ્યું હતું કે વિવાહ સમયે છોકરીની ઉંમર ૧૭ વર્ષ ૬ મહિના અને ૮ દિવસની હતી અને તે યુવતીએ ૧૮ વર્ષ પહેલાં છૂટાછેડા માટે કોઈ યાચિકા દાખલ કરી ન હતી. એવામાં હિન્દુ વિવાહ અધિનિયમ ૧૯૫૫ની ધારા ૧૩-બી હેઠળ તલાક માટે યાચિકા દાખલ કરી શકાય છે. બંને પક્ષોના બયાન નોંધીને કોર્ટે આપસી સહમતીથી બંનેને છૂટાછેડા આપ્યા. 

જેમ્સ બૉન્ડના રોલને અલવિદા કહેતાં ભાવુક થયા ડેનિયલ ક્રેગ; જુઓ વિડીયો
 

 હાઈ કોર્ટ મુજબ જ્યારે છોકરીની ઉંમર લગ્ન વખતે ૧૫ વર્ષથી ઓછી હોય અને ૧૮ વર્ષ પહેલાં તેણે વિવાહ રદ કરવાની યાચિકા કરી હોય ત્યારે જ છૂટાછેડાની પરવાનગી મળે છે. આ કેસમાં છોકરીએ વયસ્ક થયા બાદ યાચિકા દાખલ કરી હતી. એથી હિન્દુ વિવાહ અધિનિયમ ૧૯૫૫ની ધારા ૧૩-બી હેઠળ આપસી સહમતીથી વિવાહ ખતમ કરવાની પરવાનગી મળી.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version