Site icon News Continuous Bureau | Mumbai

PM Modi: PM મોદીએ તમામ મંત્રીઓ પાસેથી માંગ્યો 5 વર્ષનો રોડમેપ અને 100 દિવસનો એક્શન પ્લાન.

PM Modi: 2024ની લોકસભા ચૂંટણી ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે અને તેની તારીખો માર્ચમાં જાહેર થવાની શક્યતા છે. આ જોતા ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે.

PM Modi asked from all the ministers, 5 years roadmap and 100 days action plan..

PM Modi asked from all the ministers, 5 years roadmap and 100 days action plan..

News Continuous Bureau | Mumbai 

PM Modi: દેશમાં સામાન્ય ચૂંટણી હવે નજીક છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) તેમના કામમાં સતત સક્રિય જોવા મળે છે. તેમણે બુધવારે કેબિનેટની બેઠકમાં તમામ કેન્દ્રીય મંત્રીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો છે અને વિકાસ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાની સૂચના આપી છે.

Join Our WhatsApp Channel

મિડીયા રિપોર્ટ અનુસાર, કેબિનેટની બેઠકમાં ( cabinet meeting ) પીએમ મોદીએ તેમના મંત્રીઓ પાસેથી આગામી 100 દિવસનો એક્શન પ્લાન માંગ્યો હતો. પીએમએ તેમના મંત્રીઓને આગામી 5 વર્ષનો રોડમેપ ( Roadmap ) આપવા પણ કહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તમામ મંત્રીઓ ( Union Ministers ) તેમનો એક્શન પ્લાન કેબિનેટ સચિવાલયને મોકલશે. પીએમ મોદીએ બેઠકમાં તમામ મંત્રીઓને તેમની યોજના વહેલી તકે મોકલવાની સ્પષ્ટ સૂચના આપી છે. સૂત્રોએ જણાવ્યું કે કયા મંત્રીને રિપીટ કરવામાં આવશે અને કોને નહીં તે અંગે વિચાર્યા વિના તમારો એક્શન પ્લાન કેબિનેટ સચિવાલયને મોકલો.

 કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા..

મિડીયા રિપોર્ટમાં વધુમાં જણાવ્યા અનુસાર, તૈયારીઓને વધુ મજબૂત કરવા માટે, પીએમ મોદી 3 માર્ચે કેન્દ્રીય મંત્રી પરિષદની બીજી બેઠક બોલાવશે. આ બેઠક ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની ( Lok Sabha elections ) સંભવિત તારીખોની જાહેરાત પહેલા થશે. હાલમાં ચૂંટણી પંચ ( Election Commission ) ચૂંટણી પ્રક્રિયા માટે ઘણા રાજ્યોની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યું છે. આગામી મહિને ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈમાં મહાપાલિકા કરશે હવે મલબાર હિલની બાળગંગા ટાંકીને પુનઃસ્થાપિત.. થશે સૌંદર્યકરણમાં વધારો.

ઉલ્લેખનીય છે કે, બુધવારે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં ખેડૂત સંગઠનોના વિરોધ વચ્ચે કેબિનેટે શેરડીના ખરીદ ભાવમાં આઠ ટકાના વધારાને મંજૂરી આપી હતી. કેબિનેટે શેરડીના ખરીદ ભાવમાં રૂ. 315 પ્રતિ ક્વિન્ટલથી વધારીને રૂ. 340 પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપીને શેરડીના ભાવમાં 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે.

2024ની લોકસભા ચૂંટણી ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે અને તેની તારીખો માર્ચમાં જાહેર થવાની શક્યતા છે. આ જોતા ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે. પીએમ મોદી પોતે સતત રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે અને અનેક પ્રોજેક્ટની ભેટ આપી રહ્યા છે. તેમણે તમિલનાડુ, કર્ણાટક, યુપી અને જમ્મુ-કાશ્મીરમાં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આજે તેઓ કાશીમાં છે અને આ દરમિયાન તેઓ ઘણા પ્રોજેક્ટ્સને ફ્લેગ ઓફ કરશે.

Operation Sindoor ઓપરેશન સિંદૂરના ધમાકા આતંકી અડ્ડાઓ પર થઈ રહ્યા હતા, જેની ગુંજ દુનિયાએ સાંભળી મેલબોર્નમાં PM મોદી
ICJ Proceedings ગાઝામાં ૨૦ હજાર બાળકોના મૃત્યુ પર ભારતીય જજનું કડક વલણ, ઇઝરાયલના કૃત્યો પર ઉઠાવ્યા ગંભીર સવાલ
SBI’s role in Ram Temple donation case રામ મંદિર દાન ચોરી કેસમાં SIT એ SBI ની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, બેંક કર્મચારીની થશે પૂછપરછ
JioTV Pro Pack માત્ર 55 રૂપિયામાં મનોરંજનનો ખજાનો, જાણો શું છે જિયોનો નવો સસ્તો રિચાર્જ પ્લાન
Exit mobile version