Site icon News Continuous Bureau | Mumbai

PM Modi: પીએમ મોદીનો જન્મદિવસ: ક્યારેક માતાના આશીર્વાદ લીધા, ક્યારેક કર્યા ઉદ્ઘાટન,જાણો પીએમ બન્યા બાદ તેમને કેવી રીતે ઉજવ્યો જન્મદિવસ

વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર દર વખતે કંઈક ખાસ થાય છે. આ વખતે પણ વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસના દિવસે ઘણી મોટી યોજનાઓ શરૂ કરવા જઈ રહ્યા છે.

PM Modi પીએમ મોદીનો જન્મદિવસ ક્યારેક માતાના આશીર્વાદ લીધા

PM Modi પીએમ મોદીનો જન્મદિવસ ક્યારેક માતાના આશીર્વાદ લીધા

News Continuous Bureau | Mumbai
PM Modi વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ (BJP) પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી બે અઠવાડિયાના સેવા પખવાડિયા તરીકે કરવાની જાહેરાત કરી છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારા સેવા પખવાડિયા દરમિયાન, ભાજપના કાર્યકરો 1000 જિલ્લાઓમાં રક્તદાન શિબિર અને 75 શહેરોમાં નમો દોડનું આયોજન કરશે. આ ઉપરાંત, વૃક્ષારોપણથી લઈને અન્ય ઘણી તૈયારીઓ પણ કરવામાં આવી છે. ભાજપ શાસિત રાજ્યોની સરકારોએ પણ વડાપ્રધાન મોદીના જન્મદિવસ માટે ખાસ તૈયારીઓ કરી છે.

વર્ષ 2014 થી 2019: માતાના આશીર્વાદ અને મોટા પ્રોજેક્ટ્સ

2014: વડાપ્રધાન બન્યા બાદ તેમના 64મા જન્મદિવસ પર, પીએમ મોદી અમદાવાદમાં તેમની માતા હીરાબેનના આશીર્વાદ લેવા પહોંચ્યા. તેમણે માતા પાસેથી મળેલી ₹5001ની ભેટ જમ્મુ-કાશ્મીર પૂર રાહત ભંડોળમાં દાન કરી. આ જ દિવસે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુજરાતની મુલાકાતે હતા, જ્યાં તેમના માટે એક ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.
2015: 65મા જન્મદિવસ પર, પીએમ મોદીએ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધની સુવર્ણ જયંતિ નિમિત્તે આયોજિત પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
2016: 66મા જન્મદિવસ પર, તેઓ ફરીથી ગાંધીનગરમાં માતાને મળવા ગયા અને ત્યારબાદ નવસારીમાં દિવ્યાંગોને સહાયક ઉપકરણો વિતરણ કરવાના કાર્યક્રમમાં ભાગ લીધો.
2017: 67મા જન્મદિવસના દિવસે, પીએમ મોદીએ સરદાર સરોવર બંધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો.
2018: તેમણે પોતાનો 68મો જન્મદિવસ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં શાળાના બાળકો સાથે ઉજવ્યો અને તેમને ભેટ આપી.
2019: 69મા જન્મદિવસ પર, તેઓ ગુજરાતમાં સરદાર સરોવર ડેમ પહોંચ્યા, નર્મદા નદીની પૂજા કરી અને ‘નમામિ નર્મદે’ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Supreme Court: ‘જાઓ, ભગવાનને જાતે કંઈક કરવા કહો સુપ્રીમ કોર્ટે ખજુરાહોમાં તૂટેલી પ્રતિમા બદલવાની અરજી ફગાવતા કહી આવી વાત

વર્ષ 2020 થી 2024: મહામારી અને વિકાસના કાર્યક્રમો

2020: કોરોના મહામારીને કારણે, પીએમ મોદી કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા ન હતા. આ વર્ષે તેમનો જન્મદિવસ સેવા સપ્તાહ તરીકે ઉજવાયો, જેમાં ભાજપે દિવ્યાંગોને સહાયક ઉપકરણોનું વિતરણ કર્યું.
2021: 71મા જન્મદિવસ પર, વિશાળ રસીકરણ અભિયાન ચલાવીને એક જ દિવસમાં 2.5 કરોડથી વધુ કોરોના રસીનો રેકોર્ડ બનાવવામાં આવ્યો.
2022: 72મા જન્મદિવસના દિવસે, પીએમ મોદી મધ્યપ્રદેશમાં હતા, જ્યાં તેમણે કુનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓને છોડ્યા.
2023: તેમણે દિલ્હીના દ્વારકામાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું અને પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરી.
2024: તેમના પાછલા જન્મદિવસ પર, તેઓ ઓડિશાના પ્રવાસે હતા અને તેમણે ‘સુભદ્રા’ યોજનાની શરૂઆત કરી, જેમાં મહિલાઓને વાર્ષિક નાણાકીય સહાય પૂરી પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.

ચાલુ વર્ષની ઉજવણી: આયુષ્માન ભવ કાર્યક્રમ

આજે, 17 સપ્ટેમ્બરે, કેન્દ્ર સરકાર આયુષ્માન ભવ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમનો હેતુ દરેક જરૂરિયાતમંદ લાભાર્થી સુધી તમામ સરકારી આરોગ્ય યોજનાઓ પહોંચાડવાનો છે. આ દરમિયાન શિબિરો યોજાશે અને 60,000 લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવશે.

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version