Site icon News Continuous Bureau | Mumbai

PM મોદીએ બદલી નાખ્યા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના DP- જુઓ શું રાખ્યું

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે (મંગળવારે) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ (Social Media account) પર ડીપી (ડિસ્પ્લે પિક્ચર્સ-DP) બદલ્યા છે. તેમણે પોતાના ડીપીમાં તિરંગા(Indian flag)ની તસવીર લગાવી છે. આ સાથે તેમણે દેશવાસીઓને પણ પોતાના ડીપીમાં તિરંગો લહેરાવાની અપીલ કરી છે.

Join Our WhatsApp Channel

વડાપ્રધાન મોદીએ 'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga) અભિયાનને મજબૂત કરવા માટે પોતાના ડીપી બદલ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક(Facebook) પર ડીપી બદલતા PM મોદીએ લખ્યું હતું કે, 'આજે 2 ઓગસ્ટનો દિવસ ખાસ છે. એવા સમયે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mahotsav)ની ઉજવણી કરી રહ્યા છીએ. આપણો દેશ #HarGharTiranga જેવા સામૂહિક આંદોલન માટે તૈયાર છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી બદલ્યા છે અને તમે બધાને તે કરવા વિનંતી કરૂં છું.

આ સમાચાર પણ વાંચો : માઈનોરીટી ને બીજા દરજ્જાના ન ગણો- ભારતના ભાગલાનું કારણ બનશે- આરબીઆઇના પૂર્વ ગવર્નરનો બફાટ

ઉલ્લેખનોય છે કે PM મોદીએ ગત 31 જુલાઈના રોજ પોતાના કાર્યક્રમ 'મન કી બાત'ના 91માં એપિસોડમાં લોકોને પોતાની ડીપી બદલીને તિરંગો લહેરાવાની અપીલ કરી હતી. 

 

ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે એટલે કેન્દ્ર સરકાર 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ ચલાવી રહી છે. આ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હર ઘર ત્રિરંગો અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. 

 

આ સમાચાર પણ વાંચો : બધે જ તિરંગો- મોબાઈલના ડીપીમાં- ફેસબુક પર- ઘરે-બધે જ-જાણો વડા પ્રધાને શું આહ્વાન કર્યું
 

Rajouri LoC Firing Retaliation રાજૌરીમાં પાકિસ્તાનની નાપાક હરકત LoC પર ભારે ગોળીબાર, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Historic Space Milestone ‘ઐતિહાસિક નવી શરૂઆત’, ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ1 ના લોન્ચિંગ પહેલાં PM મોદીએ સ્કાઈરૂટ ટીમને પાઠવી શુભેચ્છા
Sharad Pawar On Sonam Wangchuk સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાતા શરદ પવારની પહેલી પ્રતિક્રિયા, કેન્દ્ર સરકારના વલણ પર ઉઠાવ્યા ગંભીર સવાલો, લોકશાહીના મૂલ્યો અંગે વ્યક્ત કરી ચિંતા
Ladakh Protest Updates શું સોનમ વાંગચુકનું આંદોલન આગળ વધશે? અભિજીત દીપકેએ લીધો આમરણાંત ઉપવાસનો નિર્ણય
Exit mobile version