Site icon

લંડનમાં પણ પીએમ મોદીનો પીછો નથી છોડતા રાહુલ ગાંધી, વિદેશની ધરતી પર પણ કર્યા ભારત સરકાર પર પ્રહાર

કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી લંડન પ્રવાસે છે. ત્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમણે ભારતની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Congress, China bhai bhai BJP lashes out at Rahul Gandhi over Cambridge lecture

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ચીન પ્રેમ છલકાયો, ચીનને 'શાંતિદૂત' ગણાવી, ભારતની આબરૂના લીરેલીરા ઉડાડ્યા.. જાણો શું શું કહ્યું..

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી લંડન પ્રવાસે છે. ત્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમણે ભારતની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ભારતમાં સંસ્થાઓના નિયંત્રણમાં હોવાની વાત કરી. આ સાથે તેમણે પોતાના ફોનની જાસૂસી કરવાનો પણ આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ કેમ્બ્રિજમાં બિઝનેસ સ્કૂલમાં પોતાના સંબોધન દરમિયાન ભારતમાં લોકતાંત્રિક સંસ્થાઓ પરના હુમલાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તેમના ફોનની જાસૂસી કરવામાં આવે છે.

Join Our WhatsApp Community

પેગાસસ દ્વારા ફોનની જાસૂસી કરવામાં આવી: રાહુલ

કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જાસૂસી નો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ફોનમાં પેગાસસ દ્વારા તેમની જાસૂસી કરવામાં આવી. લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું કે તેમને ગુપ્તચર અધિકારીએ કહ્યું કે વાત કરતી વખતે સાવચેત રહો, કારણ કે તેમની વાતચીત રેકોર્ડ કરવામાં આવી રહી છે. રાહુલે કહ્યું કે ભારતમાં તેની વિરુદ્ધ બળજબરીથી ઘણા અપરાધિક કેસ નોંધવામાં આવ્યા છે. રાહુલે એમ પણ કહ્યું કે ભારતમાં મીડિયા અને ન્યાયતંત્ર સરકારના નિયંત્રણમાં છે.

અમે આવી દુનિયાનું નિર્માણ થતું જોઈ શકતા નથી: કોંગ્રેસ નેતા

રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે એવી દુનિયાનું નિર્માણ થતું જોઈ શકતા નથી, જે લોકતાંત્રિક મૂલ્યો સાથે જોડાયેલ નથી. રાહુલ ગાંધીના સંબોધનનો વિષય હતો ‘લર્નિંગ ટુ લિસન ઇન ધ 21 સેન્ચ્યુરી’. આ દરમિયાન, તેમણે વિશ્વમાં લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે નવી વિચારસરણી ની જરૂરિયાત વિશે વાત કરી. સાથે જ કહ્યું કે તે કોઈના પર લાદવામાં ન આવે.

આ સમાચાર પણ વાંચો : આ રાશિના લોકો ખાવા-પીવાની બાબતમાં બીજાને માત આપે છે, ચરબી વધારતી વસ્તુઓ વધુ પસંદ કરે છે

અસમાનતા અને નારાજગી મોટા પાયે સામે આવી છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતાએ ભારત અને અમેરિકા જેવા લોકતાંત્રિક દેશોમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં થયેલા ઘટાડાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ પરિવર્તનથી મોટા પાયે અસમાનતા અને રોષ બહાર આવ્યો છે, જેના પર તાત્કાલિક ધ્યાન અને સંવાદની જરૂર છે. સામ પિત્રોડાએ રાહુલના કેમ્બ્રિજ ભાષણનો વીડિયો શેર કર્યો. રાહુલે કહ્યું કે ઘણા નેતાઓના ફોનમાં પેગાસસ ટૂલ છે.

મોટી સંખ્યામાં રાજકારણીઓના ફોન પર પેગાસસ છે: રાહુલ

રાહુલ ગાંધીએ કહ્યું, “મારી પાસે મારા પોતાના ફોનમાં પેગાસસ હતું. મોટી સંખ્યામાં રાજકારણીઓના ફોનમાં પેગાસસ છે. મને ગુપ્તચર અધિકારીએ ફોન કર્યો અને ફોન પર વાત કરતી વખતે સાવચેત રહેવાનું કહ્યું, અમે વાતચીત રેકોર્ડ કરી રહ્યા છીએ, તેથી આ સતત દબાણ છે, જે અમે અનુભવ કરીએ છીએ. વિપક્ષી નેતાઓ પર કેસ કરવામાં આવી રહ્યો છે. મારી સામે એવી બાબતો માટે ફોજદારી કેસો નોંધાયેલા છે જે કોઈ પણ સંજોગોમાં ફોજદારી કેસના દાયરામાં આવતા નથી. એક વિપક્ષી નેતા તરીકે, મને લાગે છે કે લોકો સાથે વાત કરવી તે ખૂબ જ મુશ્કેલ છે.”

Pariksha Pe Charcha 2026: PM મોદીની પાઠશાળા: પરીક્ષાના ડરને ભગાડવા વડાપ્રધાને આપી ખાસ ટિપ્સ, જાણો શું છે ‘પરીક્ષા પે ચર્ચા’ના મુખ્ય અંશો.
Mumbai BMC Mayor Election 2026: મુંબઈ મેયર પદ માટે જંગ: ભાજપનું પલ્લુ ભારે કે શિંદે જૂથ બાજી મારશે? જાણો આ 2 દિગ્ગજ મહિલા કોર્પોરેટરો છે રેસમાં સૌથી આગળ
Lucky Oberoi: AAP નેતા લકી ઓબેરોયની હત્યાથી પંજાબમાં ખળભળાટ: 13 ગોળીઓ મારી બદમાશોએ મચાવ્યો આતંક, પોલીસ એલર્ટ.
Kashi Vishwanath Temple: મહાશિવરાત્રી 2026 પર સ્પર્શ દર્શન બંધ, જાણો તંત્રનો નવો નિયમ અને સમયગાળો.
Exit mobile version