Site icon

દેશને સંબોધન કરતા વડા પ્રધાન મોદી થઈ ગયા ભાવુક-કહ્યું-નારીનું અપમાન

News Continuous Bureau | Mumbai

દેશ આઝાદીનો(Independence) અમૃત  મહોત્સવ(Amrit Festival) ઊજવી રહ્યો છે.  આજે 76માં સ્વતંત્રતા દિવસના(Independence Day) અવસરે વડા પ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદીએ(Narendra Modi) સતત નવમી વખત લાલ કિલ્લા(Red Fort) પર ધ્વજ ફરકાવ્યો(Hoisting of the flag) હતો અને  દેશને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં  મોદી અચાનક ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે આપણે લોકો  રોજબરોજની જિંદગીમાં મહિલાઓનું અપમાન(Insulting women) કરીએ છીએ જે કોઈ કાળે સ્વીકાર્ય નથી.

Join Our WhatsApp Community

સવારના લાલ કિલ્લા પરથી સંબોધન કરતા સમયે મોદીએ કહ્યું કે હું લાલ કિલ્લા પરથી મારી એક પીડા જણાવવા માંગુ છું. હું તેને કહ્યા વગર રહી શકતો નથી. કદાચ આ લાલ કિલ્લાનો વિષય ન હોઈ શકે. પરંતુ મારી અંદરનું દર્દ હું કોને કહું? દેશવાસીઓ સામે રજૂ નહીં કરું તો કોને કહીશ?

આ સમાચાર પણ વાંચો :  લાલ કિલ્લાની પ્રાચીર પરથી PM મોદીએ રજૂ કરી આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ- સાથે દેશને લેવડાવ્યા 5 સંકલ્પ

પોતાના સંબોધન દરમિયાન અચાનક ભાવુક થઈ ગયેલા મોદીએ કહ્યું હતું કે કોઈ ને કોઈ કારણસર આપણી અંદર એક વિકૃતિ આવી છે, આપણા બોલચાલમાં, આપણા વ્યવહારમાં, આપણે કેટલાક શબ્દોમાં, આપણે નારીનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની જિંદગીમાં નારીનું અપમાન કરનારી દરેક વાતથી મુક્તિ મેળવવાનો સંકલ્પ લઈ શકીએ? નારીનું ગૌરવ રાષ્ટ્રના સપના પૂરા કરવામાં ખૂબ મોટી પૂંજી બનવાનું છે, આ સામર્થ્ય હું જોઈ રહ્યો છું.
 

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version