Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Interview: PM મોદીએ ભ્રષ્ટાચાર અને જાતિવાદ પર સાધ્યું નિશાન! જાણો PM મોદીએ શું કહ્યું ઈન્ટરવ્યુમાં…

PM Modi Interview: પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થામાં આવશે.

PM Modi Interview: India will be a developed nation by 2047, there will be no place for corruption, casteism, communalism - PM Modi

PM Modi Interview: PM મોદીએ ભ્રષ્ટાચાર અને જાતિવાદ પર સાધ્યું નિશાન! જાણો PM મોદીએ શું કહ્યું ઈન્ટરવ્યુમાં…

News Continuous Bureau | Mumbai 

PM Modi Interview: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ન્યૂઝ એજન્સી PTIને એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ (Interview) આપ્યો છે. આ મુલાકાત એવા સમયે આવી છે. જ્યારે 9-10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં G-20 દેશોની બેઠક યોજાવા જઈ રહી છે. આ સિવાય કેન્દ્રએ 18-22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે.

Join Our WhatsApp Channel

ભારતના G20 પ્રમુખપદની ઘણી સકારાત્મક અસરો થઈ છે, જેમાંથી કેટલીક “મારા હૃદયની ખૂબ જ નજીક છે”, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ PTIને આપેલી એક વિશિષ્ટ મુલાકાતમાં જણાવ્યું હતું.

 પીએમ મોદીએ કહ્યું- 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે

વડા પ્રધાને કહ્યું કે, વિશ્વનો જીડીપી-કેન્દ્રિત દૃષ્ટિકોણ હવે માનવ-કેન્દ્રિતમાં બદલાઈ રહ્યો છે. ભારત આમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ પણ વિશ્વ કલ્યાણ માટે માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે. પીએમ મોદીએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની જશે. ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદને આપણા રાષ્ટ્રીય જીવનમાં કોઈ સ્થાન નહીં હોય.

 ‘ભારતીયો પાસે મોટી તક છે’

તેમણે કહ્યું, G20માં, અમારા શબ્દો અને દ્રષ્ટિકોણને વિશ્વ માત્ર વિચારો તરીકે નહીં, પરંતુ ભવિષ્યના રોડમેપ તરીકે જુએ છે. આજે ભારતીયો પાસે વિકાસનો પાયો નાખવાની મોટી તક છે. જે આગામી હજારો વર્ષો સુધી યાદ રહેશે. લાંબા સમય સુધી, ભારતને એક અબજ ભૂખ્યા પેટવાળા દેશ તરીકે જોવામાં આવતું હતું, હવે તે એક અબજ મહત્વાકાંક્ષી મન અને બે અબજ કુશળ હાથ ધરાવતો દેશ છે.

એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં પાંચ સ્થાનની છલાંગ લગાવવાની સિદ્ધિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે.

પાકિસ્તાન અને ચીનના વાંધાઓને ફગાવી દીધા

વડાપ્રધાન મોદીએ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં જી-20 બેઠકો યોજવા અંગે પાકિસ્તાન અને ચીનના વાંધાઓને ફગાવી દીધા અને કહ્યું કે દેશના દરેક ભાગમાં બેઠકો યોજવી સ્વાભાવિક છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનની સુરક્ષાનો પર્દાફાશ! મુંબઈની લોકલ ટ્રેનમાં 6 યુવકો ખુલ્લેઆમ ડ્રગ્સ લેતા જોવા મળ્યા… વિડીયો વાયરલ.. જુઓ વિડીયો…

સાયબર ક્રાઈમનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સામે લડવા માટે વૈશ્વિક સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, સાયબર સ્પેસે ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓ અને આતંકવાદ સામેની લડાઈમાં એક સંપૂર્ણપણે નવું પરિમાણ રજૂ કર્યું છે. સાયબર ધમકીઓને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ.

Indian Navy Expansion ભારતીય નૌસેનાને મળશે નવી તાકાત પીએમ મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે ત્રણ નવા સ્વદેશી યુદ્ધપોત
NTA NEET UG Exam Guidelines NEET પરીક્ષા માટે નવી ગાઇડલાઇન્સ જાહેર, પાઘડીહિજાબ પહેરવાની છૂટ પણ આ વસ્તુઓ પર પ્રતિબંધ
Bimal Patel International Tribunal ભારતનું ગૌરવ બિમલ પટેલ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલના જજ તરીકે ચૂંટાયા; આ તારીખથી સંભાળશે કાર્યભાર
Right to Walk નાગરિકોની મોટી જીત સુપ્રીમ કોર્ટે ફૂટપાથને ગણાવ્યો મૂળભૂત અધિકાર, અતિક્રમણ સામે મળશે રાહત
Exit mobile version