Site icon

PM Modi on Nitish Kumar : CM નીતિશ કુમારની ‘ગંદી વાત’ પર PM મોદીએ સાધ્યું નિશાન, કહ્યું- કોઈ શરમ નથી…

PM Modi on Nitish Kumar : વિધાનસભામાં યૌન સંબંધો પર બોલ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહારો થયા છે. માફી માંગ્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી તેમના પર પ્રહારો કરી રહી છે. પીએમ મોદીએ નીતિશ કુમાર પર પણ નિશાન સાધ્યું હતું.

PM Modi on Nitish Kumar : PM Modi attacks Nitish Kumar over his birth control remark, says, he should be ashamed

PM Modi on Nitish Kumar : PM Modi attacks Nitish Kumar over his birth control remark, says, he should be ashamed

News Continuous Bureau | Mumbai

PM Modi on Nitish Kumar : વિધાનસભામાં યૌન સંબંધો (Birth control) પર બોલ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) કેન્દ્ર સરકારના ઘેરામાં આવ્યા છે. માફી માંગ્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી (BJP) તેમના પર પ્રહારો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પણ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે.

Join Our WhatsApp Community

નરેન્દ્ર મોદીએ પણ નીતિશ કુમાર પર સાધ્યું નિશાન

વસ્તી નિયંત્રણને લઈને વિધાનસભામાં આપવામાં આવેલા સીએમ નીતિશના નિવેદનની ટીકા કરતા તેમણે કહ્યું કે, I.N.D.I.A. ગઠબંધન (INDIA Alliance), ઘમંડી ગઠબંધનના ખૂબ મોટા નેતાઓ વિધાનસભા (assembly) ની અંદર માતાઓ અને બહેનો વિશે આવી અકલ્પનીય વાતો કહી રહ્યા છે.  માતા-બહેનોના અપમાન સામે મહાગઠબંધનના લોકો એક શબ્દ પણ બોલતા નથી.. તેમને શરમ આવવી જોઈએ…

પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, આ દેશનું કેવું દુર્ભાગ્ય આવ્યું છે, તમે કેટલા નીચા પડી જશો… તમે દુનિયામાં દેશનું અપમાન કરી રહ્યા છો. આ ઉપરાંત ઈન્ડીયા ગઠબંધનનો એક પણ નેતા આપણી માતાઓ અને બહેનોના ભયંકર અપમાન સામે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. જે લોકો સ્ત્રીઓ વિશે આવું વિચારે છે, શું તેઓ તમારા માટે કંઈ સારું કરી શકે છે? શું તે તમારો આદર કરી શકે છે, શું તે તમને ગર્વ આપી શકે છે?

આ સમાચાર પણ વાંચો : Onion: ટામેટાં પછી હવે ડુંગળીએ રડાવ્યા, પ્રતિ કિલો આટલે પહોંચ્યા ભાવ, દિવાળીમાં ખોરવાઈ શકે છે બજેટ!

વિવાદાસ્પદ ટિપ્પણી અંગે માંગી માફી

બીજી તરફ, સીએમ નીતિશે વસ્તી નિયંત્રણ માટે મહિલા શિક્ષણના મહત્વ પરની તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને પાછી ખેંચતા કહ્યું કે, જો તેમના નિવેદનથી કોઈને દુઃખ થયું હોય, તો તે તેના માટે માફી માંગે છે અને ખેદ વ્યક્ત કરે છે. બિહાર વિધાનસભા સંકુલમાં અને બાદમાં ગૃહની અંદર પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નીતિશે કહ્યું, મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી, જો મેં કંઈ પણ ખોટું કહ્યું હોય તો હું માફી માંગુ છું….

આપ્યું હતું આ વિવાદાસ્પદ નિવેદન

તમને જણાવી દઈએ કે વસ્તીને નિયંત્રિત કરવા માટે મહિલાઓમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા નીતિશે મંગળવારે ગૃહમાં કહ્યું હતું કે બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. જો છોકરી શિક્ષિત રહેશે તો જનસંખ્યા પર અંકુશ આવશે. આ વાત સમજાવવા માટે નીતિશ કુમારે કહ્યું કે, જો છોકરી ભણી લેશે તો પુરુષ રોજ રાતે કરે છે, તેમાં વધારે બાળકો પેદા થઈ જાય છે. જો છોકરી ભણી લેશે તો તેની અંદર…..તેને….કરી દો. તેમાં વસતી ઘટી રહી છે. આ નિવેદન બાદ તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન, તેમણે તેમની ઉપરોક્ત ટિપ્પણી પાછી ખેંચી લીધી, માફી માંગી અને ખેદ વ્યક્ત કર્યો.

 

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Supreme Court Order: શિક્ષણ જગતમાં મોટી હલચલ: NCERT એ ધોરણ 8 ના અભ્યાસક્રમમાં કર્યો મોટો ફેરફાર! વિવાદિત પાઠ હટાવ્યો, સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ પુસ્તક પર પ્રતિબંધ
PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે સૌથી મોટો દાવો! “માત્ર પીએમ મોદી જ કરાવી શકે છે યુદ્ધવિરામ”, જાણો કેમ પૂર્વ રાજદૂતે ભારતને ગણાવ્યું શાંતિનું દૂત
Weather Update: માર્ચની શરૂઆતમાં જ સૂર્યદેવના આકરા તેવર! હિમાચલમાં ‘લૂ’ ની ચેતવણી, ગુજરાત અને રાજસ્થાનમાં કાળઝાળ ગરમી વચ્ચે ગરમ પવનો ફૂંકાશે
Exit mobile version