Site icon News Continuous Bureau | Mumbai

PM Modi : PM મોદી આ તારીખે ભારત મંડપમ ખાતે અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

PM Modi :આ પહેલ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF), એગ્રીકલ્ચર માર્કેટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (AMI), વગેરે જેવી વિવિધ પ્રવર્તમાન યોજનાઓના કન્વર્જન્સ દ્વારા અમલમાં મુકવામાં આવી રહી છે જેથી પ્રોજેક્ટમાં સહભાગી PACS ને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ હાથ ધરવા માટે સબસિડી અને વ્યાજ સબવેન્શન લાભો મેળવવા સક્ષમ બનાવી શકાય.

PM Modi PM Modi to inaugurate and lay foundation stone of multiple key initiatives for Cooperative sector on Saturday in Delhi

PM Modi PM Modi to inaugurate and lay foundation stone of multiple key initiatives for Cooperative sector on Saturday in Delhi

News Continuous Bureau | Mumbai 

PM Modi

Join Our WhatsApp Channel

દેશના સહકારી ક્ષેત્રને મજબૂત કરવાના એક મોટા કદમમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી ફેબ્રુઆરી, 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ( Bharat Mandapam )ખાતે સવારે 10:30 કલાકે સહકારી ક્ષેત્ર ( Co-operate sector ) માટે બહુવિધ ચાવીરૂપ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી ‘સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના’ના પાયલોટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જે 11 રાજ્યોની 11 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)માં કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી આ પહેલ હેઠળ ગોડાઉન અને અન્ય કૃષિ માળખાના નિર્માણ માટે દેશભરમાં વધારાના 500 PACSનો શિલાન્યાસ પણ કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય PACS ગોડાઉનોને ખાદ્ય અનાજ પુરવઠા શૃંખલા સાથે એકીકૃત કરવા, નાબાર્ડ દ્વારા સમર્થિત અને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC) દ્વારા સંચાલિત સહયોગી પ્રયાસો સાથે દેશમાં ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF), એગ્રીકલ્ચર માર્કેટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (AMI), વગેરે જેવી વિવિધ પ્રવર્તમાન યોજનાઓના કન્વર્જન્સ દ્વારા અમલમાં મુકવામાં આવી રહી છે જેથી પ્રોજેક્ટમાં સહભાગી PACS ને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ હાથ ધરવા માટે સબસિડી અને વ્યાજ સબવેન્શન લાભો મેળવવા સક્ષમ બનાવી શકાય.

સહકારી ક્ષેત્રને પુનર્જીવિત કરવા અને નાના અને સીમાંત ખેડૂતોને સશક્તિકરણ કરવાના ઉદ્દેશ્ય સાથે “સહકાર સે સમૃદ્ધિ”ના સરકારના વિઝન સાથે સંરેખિત, દેશભરમાં 18,000 PACS માં કોમ્પ્યુટરાઇઝેશન માટેના પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે.

આ સમાચાર પણ વાંચો :  Ramdas Athawale : 2024માં જો અમારી સરકાર બનશે તો દેશની અર્થ વ્યવસ્થા વિશ્વના ત્રીજા સ્થાને પહોંચી જશે: રામદાસ આઠવલે

2,500 કરોડથી વધુના નાણાકીય ખર્ચ સાથે સ્મારક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પહેલમાં તમામ કાર્યાત્મક PACS ને એકીકૃત એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) આધારિત રાષ્ટ્રીય સૉફ્ટવેર પર સંક્રમણનો સમાવેશ થાય છે, જે સીમલેસ એકીકરણ અને કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે. આ PACS ને રાજ્ય સહકારી બેંકો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો દ્વારા નાબાર્ડ સાથે જોડીને, પ્રોજેક્ટનો હેતુ PACS ની કાર્યક્ષમતા અને સંચાલનને વધારવાનો છે, આમ કરોડો નાના અને સીમાંત ખેડૂતોને ફાયદો થાય છે. નાબાર્ડે આ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય કક્ષાનું કોમન સોફ્ટવેર વિકસાવ્યું છે, જે સમગ્ર દેશમાં PACS ની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ERP સોફ્ટવેર પર 18,000 PACSનું ઓનબોર્ડિંગ પૂર્ણ થઈ ગયું છે, જે પ્રોજેક્ટના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Special Parliament Session Delimitation મહિલા ક્વોટા અને સીમાંકન પર સરકારનો માસ્ટર પ્લાન સપ્ટેમ્બરમાં સંસદનું ખાસ સત્ર મળવાની શક્યતા, આ ‘પરીક્ષા’ બનશે નિર્ણાયક
Hindu Kush Himalaya Warning ૫ મહિના પહેલાં મળેલી ચેતવણી સાચી પડી નેપાળમાં ભયાનક કુદરતી હોનારત, ભારતની ચિંતામાં મોટો વધારો
BRICS Summit India Agenda બ્રિક્સ મંચ પર ભારતનો પાવર શો સપ્લાય ચેઇનની મજબૂતી અને લોકલ કરન્સીમાં વેપાર માટે તૈયાર કર્યો મહત્ત્વપૂર્ણ રોડમેપ
India Rescue Operation Nepal ચીનનેપાળ સરહદે કુદરતી આફત ૪૦૦ ભારતીયો ફસાયા, ૧૦૦ લાપતા; ભારત સરકારનો મેગા રેસ્ક્યૂ પ્લાન તૈયાર
Exit mobile version