Site icon

PMO New Office: સાઉથ બ્લોકનો યુગ પૂર્ણ, હવે ‘સેવા તીર્થ’ થી લખાશે નવા ભારતનો ઇતિહાસ! પીએમ મોદીના નવા ઓફિસની 5 મોટી ખાસિયતો જાણો.

PMO New Office: સાઉથ બ્લોકમાં 80 વર્ષ બાદ છેલ્લી કેબિનેટ બેઠક; હવે એક જ છત નીચે પીએમઓ, કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ કાર્યરત થશે.

PM Modi shifts to new office 'Seva Tirtha'; A 1,189 crore high-tech complex on Dara Shikoh Road.

PM Modi shifts to new office 'Seva Tirtha'; A 1,189 crore high-tech complex on Dara Shikoh Road.

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન કાર્યાલય (PMO) નું સરનામું આજથી બદલાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર, 13 ફેબ્રુઆરીથી દારા શિકોહ રોડ પર સ્થિત નવા અત્યાધુનિક પરિસર ‘સેવા તીર્થ’ માં શિફ્ટ થશે. આ ભવ્ય પરિસર 2.26 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જેનું નિર્માણ કેન્દ્રીય વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે. આ નવી ઇમારત માત્ર વડાપ્રધાનનું કાર્યાલય જ નહીં, પણ દેશના શાસન અને સુરક્ષાનું મુખ્ય કેન્દ્ર બનશે.આ નવા પરિસરના નિર્માણ પાછળ અંદાજે ₹1,189 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ‘સેવા તીર્થ’ માં ત્રણ મુખ્ય ઇમારતો છે: સેવા તીર્થ-1 માં વડાપ્રધાનનું કાર્યાલય છે, સેવા તીર્થ-2 માં કેબિનેટ સચિવાલયઅને સેવા તીર્થ-3 માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનું સચિવાલય રહેશે.

Join Our WhatsApp Community

સાઉથ બ્લોકમાં 80 વર્ષના શાસનનો અંત

ઐતિહાસિક સાઉથ બ્લોક પરિસરમાં આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં છેલ્લી કેબિનેટ બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે, સાઉથ બ્લોકમાં પ્રથમ કેબિનેટ બેઠક 15 ઓગસ્ટ, 1947ના રોજ પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં મળી હતી. છેલ્લા 8 દાયકાથી દેશના ગૌરવનું પ્રતિક રહેલા આ ભવનમાંથી હવે સત્તાનું કેન્દ્ર નવા અને આધુનિક ‘સેવા તીર્થ’ ભવનમાં સ્થાનાંતરિત થશે.

આ સમાચાર પણ વાંચો : Gold and Silver Prices Surge: સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો: કિંમતી ધાતુઓના બજારમાં શુક્રવારે જોરદાર તેજી: જાણો આજના લેટેસ્ટ રેટ્સ 

શું છે ‘સેવા તીર્થ’ ની મુખ્ય ખાસિયતો?

આ નવું ભવન સંપૂર્ણપણે હાઈટેક સુવિધાઓથી સજ્જ છે. પેપરલેસવર્ક કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે અહીં ડિજિટલ આર્કાઈવ્સ અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ અહીં સ્માર્ટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ અને એડવાન્સ્ડ મોનિટરિંગ નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. આ પરિસર વિજય ચોક પાસે હોવાથી વડાપ્રધાનની અવરજવર સરળ બનશે અને સામાન્ય લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે.

કાર્યક્ષમતા અને સુરક્ષામાં થશે વધારો

અત્યાર સુધી પીએમઓ અને તેના સંલગ્ન સચિવાલયો અલગ-અલગ જગ્યાએ કાર્યરત હતા, પરંતુ હવે તમામ મહત્વના વિભાગો એક જ પરિસરમાં હોવાથી કાર્યક્ષમતામાં મોટો વધારો થશે. ખાસ કરીને સુરક્ષા અને ગુપ્તચર વિભાગો વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનશે. વડાપ્રધાન મોદીના વિઝન મુજબ, આ ભવન ભવિષ્યના ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે, જ્યાંથી દેશના નિર્ણયો લેવાશે.

PACL Scam Refund: PACL કૌભાંડ: લાખો રોકાણકારો માટે આશાનું કિરણ, ED ₹15,582 કરોડની મિલકતો લોઢા સમિતિને સોંપશે
Government’s Digital Strike:સોશિયલ મીડિયા પર સરકારનો કડક સકંજો! નવા IT નિયમો જાહેર, ટેક કંપનીઓની જોહુકમી પર લાગશે બ્રેક.
LPG Crisis India 2026:LPG કટોકટી: સુરત-મુંબઈમાં મજૂરોની હિજરત શરૂ, રાજસ્થાનમાં ઉદ્યોગો પાયમાલ; ગેસ સપ્લાય ખોરવાતા હાહાકાર!
LPG Connection Surrender:શું તમારા વિસ્તારમાં PNG પાઈપલાઈન છે? જો ૩ મહિનામાં કનેક્શન નહીં લો તો LPG સપ્લાય અટકી જશે, જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version