Site icon

વડા પ્રધાન મોદીએ જનતાને કરી અપીલ; કહ્યું પદ્મ ઍવૉર્ડ માટે પ્રેરણાદાયી વ્યક્તિઓનાં નામ નોમિનેટ કરે જનતા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકોને અપીલ કરી છે કે જમીની સ્તરે અસાધારણ કામગીરી કરી રહેલા લોકોનાં નામ પદ્મ ઍવૉર્ડ્સ માટે તેમની પસંદગીના લોકોને નોમિનેટ કરે અને તેમનાં નામ સરકાર સુધી પહોંચાડે. તેમણે ટ્વીટ કરીને સામાન્ય લોકોને આ કામ કરવા જણાવ્યું છે. ભારતના સર્વોચ્ચ પુરસ્કારો માટે મોદીએ આ ટ્વીટ મારફતે લોકોને નામ આપવા કહ્યું છે.

વડા પ્રધાને એવા પ્રેરણાદાયી લોકોનાં નામ 15 સપ્ટેમ્બર સુધીમાં મોકલવાનું કહ્યું છે. આ ઍવૉર્ડ માટેની વેબસાઇટની લિન્કને શૅર કરતાં તેમણે ટ્વીટ કર્યું હતું કે, “ભારત પાસે ઘણા પ્રતિભાશાળી લોકો છે, જેઓ જમીની સ્તરે અસાધારણ કામ કરી રહ્યા છે. તમે તેને પદ્મ ઍવૉર્ડ માટે નોમિનેટ કરી શકો છો. નામાંકન 15 સપ્ટેમ્બર સુધી ચાલુ છે.” આ માટે padmaawards.gov.in વેબસાઇટ આપવામાં આવે છે.

ભારતીય મૂળના સમીર બેનર્જીએ રચ્યો ઇતિહાસ, જુનિયર વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં આ ટાઇટલ પોતાના નામે કર્યું ; જાણો વિગતે

મોદી સરકાર સત્તામાં આવ્યા પછી પદ્મ ઍવૉર્ડ સામાન્ય લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ માટે એવા લોકોની પસંદ કરવામાં આવી રહી છે જેઓ જમીની સ્તરે ખરેખર ઉત્તમ કાર્ય કરે છે, પરંતુ તેઓ ઘણી વાર વિસ્મૃતિમાં જીવે છે. વડા પ્રધાને આવા લોકોના સન્માન માટે પહેલ કરી છે. વર્ષોથી, મોદી સરકારે વિવિધ ક્ષેત્રોમાં અનેક લોકોને તેમની સિદ્ધિ અને સમાજમાં તેમના યોગદાન બદલ પદ્મ ઍવૉર્ડથી સન્માનિત કર્યા છે.

Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Double Whammy for Nainital: નૈનીતાલમાં ‘બ્લેકઆઉટ’: ગેસ સંકટ બાદ વીજળી પણ ગઈ, ૮૦ હજારની વસ્તી પરેશાન; ટૂરિઝમ સેક્ટરને મોટો ઝટકો.
Indore Fire: ઇન્દોરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ? ભીષણ આગમાં ૭ લોકોના કરૂણ મોત, ૩ માળનું મકાન રાખમાં ફેરવાયું; જાણો સમગ્ર ઘટના
LPG સ્કેમ એલર્ટ: એક ખોટી ક્લિક અને ખાતું ખાલી! ગેસ ગ્રાહકો માટે સાયબર પોલીસની મોટી ચેતવણી; જાણો બચવાના ઉપાયો.
Exit mobile version