Site icon News Continuous Bureau | Mumbai

પીએમ મોદીના ‘મન કી બાત’  કાર્યક્રમથી સરકારને થઇ અધધ કરોડો રૂપિયાની કમાણી… જાણો  વિગતે…  

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 નવેમ્બર 2020 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહીને કરવામાં આવતા રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થી કરોડો રૂપિયાની આવક પણ થઇ રહી છે. એક RTIમાં આ આવકનો ખુલાસો થયો છે. 2014 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળની શરૂઆત થઈ ત્યારથી, માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત અત્યાર સુધીમાં 30 કરોડની કમાણી  થઇ છે.  આ કાર્યક્રમ લોકોમાં ખૂબ મનપસંદ પણ બન્યો, જેમાં પીએમ મોદી દર મહીને વિવિધ મુદ્દાઓ પર દેશના નાગરિકો સાથે ચર્ચા-વિચારણા કરે છે.  

Join Our WhatsApp Channel

મન કી બાત કાર્યક્રમને લઈને એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે આ કાર્યક્રમથી છેલ્લા 6 વર્ષમાં તેણે ₹ 30 કરોડ 28 લાખની આવક કરી છે. આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે આ કાર્યક્રમના અખબારોમાં જાહેરાત કરવા માટે કુલ 7 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે આ કાર્યક્રમની આવક લગભગ ત્રણ ગણી થઈ છે. નોંધનીય છે કે પીએમ મોદીનો આ રેડિયો કાર્યક્રમ હવે લોકપ્રિય થઇ રહ્યો છે અને આ કાર્યક્રમ માટે પીએમ મોદી ઘણીવાર સલાહ પણ માંગે છે.  

RTI મુજબ આ કાર્યક્રમથી દર વર્ષે આટલી આવક થઇ છે જે નીચે મુજબ છે…

વર્ષ                                         આવક 

2014-15                              1.16 કરોડ
2015-16                              2.81 કરોડ
2016-17                              5.12 કરોડ
2017-18                             10.58 કરોડ
2018-19                              7.47 કરોડ
2019-20                              2.56 કરોડ
2020-અત્યાર સુધી                 58 લાખ….

Pahalgam Attack। સેનાનો પાકિસ્તાનને કરારો જવાબ ‘પહેલગામના શહીદોને ન્યાય મળી ગયો છે’, હુમલાની વરસી પહેલા ભારતનો આકરો સંદેશ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
Exit mobile version