Site icon News Continuous Bureau | Mumbai

PM મોદીએ આપ્યો કોરોના વાયરસથી બચવાનો નવો મંત્ર… એને ખાસ ગોખી રાખજો..  જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓક્ટોબર 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દેશવાસીઓને કોરોનાથી બચવાની સલાહ આપી છે. શનિવારે તેમણે નવો મંત્ર આપતા કહ્યું કે, 'જ્યાં સુધી રસી નહીં, ત્યાં સુધી કોઈ ઢીલ નહીં.' પ્રધાનમંત્રીએ કહ્યું, હું વારંવાર કહેતો આવ્યો છું, કે  દવા ક્યારે શોધાશે કાંઈ નક્કી નથી, ત્યાં સુધી ઢીલ આપવામાં નહીં આવે.. 'દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરી આ મંત્રને ભૂલવાનો નથી.' તમારું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ. આ વાત પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનીને તૈયાર થયેલા ઘરોનું ઉદ્ઘાટન કરતી વખતે સતર્ક રહેવાની સલાહ આપી હતી.

Join Our WhatsApp Channel

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 46,59,985 પર પહોંચી છે. જેમાંથી 9,58,316 એક્ટિવ કેસ છે. જ્યારે 36,24,197 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ કેસ 97,570 નોંધાયા છે. જ્યારે 1201 લોકોના મોત થયા છે.

આઈસીએમઆર મુજબ, 11 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 50 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતુ. રાહતની વાત એ છે કે પોઝિટિવિટી કેસોનો રેટ 7 ટકાથી ઓછો છે. કોરોના વાયરસના 54 ટકા મામલા 18 થી 44 વર્ષના લોકોના છે, પરંતુ મૃતકોમાં 51 ટકા 60 વર્ષથી વધારે ઉંમરના છે.

Ration Card New Rules ભારત સરકારે બદલી નાખી રેશનિંગ સિસ્ટમ; હવે પરિવારના આધારે નહીં, પરંતુ સભ્યોની સંખ્યા નક્કી કરશે કે કેટલું અનાજ મળશે
Global Weather Alert પ્રશાંત મહાસાગરમાં બની રહ્યો છે શક્તિશાળી ‘અલ નીનો’; નાસાના સેટેલાઈટ ડેટાથી વૈજ્ઞાનિકોની ચિંતા વધી
MEA Update હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સામાન્ય; આટલા જહાજોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સફળતાપૂર્વક પાર કર્યું
BarrierFree Toll System હાઈવે પર હવે ગાડી નહીં અટકે! ભારતમાં દેશની પ્રથમ ‘બેરિયરફ્રી’ ટોલ સિસ્ટમનો હરિયાણામાં ટ્રાયલ શરૂ
Exit mobile version