Site icon News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: લાલ કિલ્લા પરથી PM નરેન્દ્ર મોદીએ યુવાનો માટે કરી મોટી જાહેરાત; દિવાળીમાં આપશે મોટી ભેટ

PM Narendra Modi: વડાપ્રધાને યુવાઓ માટે ૧ લાખ કરોડ રૂપિયાની નવી રોજગાર યોજનાની જાહેરાત કરી, સાથે જ આ દિવાળીમાં વસ્તુઓ સસ્તી થશે તેવી ઘોષણા પણ કરી.

PM Narendra Modi લાલ કિલ્લા પરથી PM નરેન્દ્ર મોદીએ યુવાનો માટે કરી મોટી જાહેરાત

PM Narendra Modi લાલ કિલ્લા પરથી PM નરેન્દ્ર મોદીએ યુવાનો માટે કરી મોટી જાહેરાત

News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: આજે જ્યારે દેશ ૭૯મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી. આ સંબોધન દરમિયાન, તેમણે દેશના યુવાનો અને અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે કેટલીક મોટી જાહેરાતો કરી.

Join Our WhatsApp Channel

યુવાનો માટે ૧ લાખ કરોડની નવી રોજગાર યોજનાની ઘોષણા

વડાપ્રધાન મોદીએ યુવાનો માટે એક મોટી ઘોષણા કરતા જણાવ્યું કે, “આજે, ૧૫ ઓગસ્ટે, અમે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ દેશના યુવાનો માટે ૧ લાખ કરોડ રૂપિયાની યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છીએ.” તેમણે કહ્યું કે, આ યોજના અંતર્ગત ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનાર યુવાનોને ₹૧૫,૦૦૦ આપવામાં આવશે. આ ઉપરાંત, જે કંપનીઓ સૌથી વધુ રોજગારની તકો ઊભી કરશે, તેમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ પહેલથી ૩.૫ કરોડ યુવાનોને ફાયદો થશે.

દિવાળીમાં વસ્તુઓ થશે સસ્તી, GSTમાં સુધારાની ઘોષણા

વડાપ્રધાને દેશવાસીઓને દિવાળીની મોટી ભેટ આપવાની જાહેરાત પણ કરી. તેમણે જણાવ્યું કે, “અમે છેલ્લા ૮ વર્ષથી GST ઘટાડવા માટે કામ કરી રહ્યા છીએ. અમે નેક્સ્ટ જનરેશન GST પર કામ કરી રહ્યા છીએ, જેના પરિણામે આ દિવાળીમાં રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘણી સસ્તી થશે.” તેમણે અન્ય રાજકીય પક્ષોને પણ આ સુધારાઓમાં જોડાવાની અપીલ કરી અને કહ્યું કે આનાથી દેશની અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે.

આ સમાચાર પણ વાંચો : Independence Day PM Modi: ‘કુદરત આપણી પરીક્ષા લઈ રહ્યો છે…’; કિશ્તવાડ ની દુર્ઘટના પર લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદી ની ભાવુક પ્રતિક્રિયા થઇ વાયરલ

સ્વદેશીનો ઉપયોગ તાકાત માટે, ફરજિયાત તરીકે નહીં

વડાપ્રધાને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું કે, “જો આપણે દેશની માટીની સુગંધ ધરાવતી બધી વસ્તુઓ ખરીદીશું અને ભારતને સમૃદ્ધ બનાવવા માટે દેશની વસ્તુઓનો ઉપયોગ કરીશું, તો તમે જોશો કે દેશ આગળ વધશે.” તેમણે દેશના વેપારીઓને પણ અપીલ કરી કે તેઓ પોતાની દુકાનો પર સ્વદેશી વસ્તુઓ વેચવામાં આવે છે તેવા બોર્ડ લગાવે. તેમણે સ્પષ્ટ કર્યું કે આપણે સ્વદેશીનો ઉપયોગ ફરજિયાત તરીકે નહીં, પરંતુ આપણી તાકાત માટે કરવાનો છે.

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
Exit mobile version