Site icon News Continuous Bureau | Mumbai

પોલીસ નકસલીઓ વચ્ચે ઘર્ષણ 4 ઢેર, એક જવાન શહીદ 10 પોલીસનો કોઈ સંપર્ક નથી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

09 મે 2020 

શુક્રવાર ની મોડી રાત્રે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ એન્કાઉન્ટરમાં મદનવારાના પોલીસ સ્ટેશનના પ્રભારી શહીદ થયા છે. આ સાથે જ જવાનોએ 4 નક્સલવાદીઓને પણ ઢેર છે. નકસલીનીઓ પાસેથી એકે -47, એક SLR અને બે 12 બોર રાઇફલ્સ મળી આવી છે. ગઈ કાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ રાજનાંદગાંવના પરધૌની વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયું હતું. અહેવાલ મુજબ મદનવારાના પોલીસ સ્ટેશનના પ્રભારીને આ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. જેના આધારે સ્ટેશન ઈન્ચાર્જ તેના જવાનો સાથે નકસલીઓની શોધમાં નીકળી પડયા હતાં.  દરમિયાન પોલીસે મોડી રાત્રે ફાયરિંગ કરવું પડ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પાર્ટીમાં સામેલ દસ સૈનિકો પાછા ફર્યા નથી. મોડી રાત સુધી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ  હતો, પરંતુ હવામાનને કારણે તેમનો સંપર્ક થઈ શક્યો નહીં..

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
India Secret Plan Strait of Hormuz| હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે એક્ટિવ કર્યો ‘સીક્રેટ પ્લાન’! ખાડી દેશોમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને બહાર કાઢવા મોટું ઓપરેશન
Exit mobile version