Site icon News Continuous Bureau | Mumbai

NITI Aayog UPI Charges Remark Sparks Row ડિજિટલ પેમેન્ટ ચાર્જ પર નીતિ આયોગનો બચાવ વિવાદમાં ફસાયો ‘૪૦ પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધું…

NITI Aayog UPI Charges Remark Sparks Row ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની નાણાકીય સ્થિરતા અને મેઇન્ટેનન્સ કોસ્ટ મુદ્દે સવાલો ઉઠાવ્યા; વિપક્ષ અને સામાન્ય જનતામાં આક્રોશ

NITI Aayog UPI Charges Remark Sparks Row  ડિજિટલ પેમેન્ટ ચાર્જ પર નીતિ આયોગનો બચાવ વિવાદમાં ફસાયો   '૪૦ પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધું…

NITI Aayog UPI Charges Remark Sparks Row ડિજિટલ પેમેન્ટ ચાર્જ પર નીતિ આયોગનો બચાવ વિવાદમાં ફસાયો '૪૦ પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધું…

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

NITI Aayog UPI Charges Remark Sparks Row યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વ્યવહારો પર સંભવિત ટ્રાન્ઝેક્શન ચાર્જીસ લાદવાની અટકળો વચ્ચે નીતિ આયોગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીના વિવાદાસ્પદ નિવેદને દેશભરમાં ભારે વિવાદ છેડી દીધો છે. એક પરિસંવાદ દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચ અંગે બોલતાં તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને લાંબા ગાળે ટકાવી રાખવા માટે નજીવો ખર્ચ જરૂરી છે અને ‘૪૦ પૈસા ચૂકવવાથી કોઈ મરી નથી જવાનું, સરકાર કાયમ માટે બધું મફતમાં ના આપી શકે.’ આ નિવેદન સામે આવતાં જ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર સામાન્ય નાગરિકો તેમજ નાના વેપારીઓની મજાક ઉડાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

NITI Aayog UPI Charges Remark Sparks Row – ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વર કોસ્ટની દલીલ

સંબંધિત અધિકારીએ પોતાની દલીલમાં જણાવ્યું કે કરોડો દૈનિક વ્યવહારો સંભાળવા માટે બેંકો, સર્વર્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ભારે મૂડીરોકાણ કરવું પડે છે. તેમણે તર્ક આપ્યો હતો કે જો પ્રતિ વ્યવહાર માત્ર ૩૦ થી ૪૦ પૈસા જેવો અત્યંત નજીવો ચાર્જ લેવામાં આવે તો સિસ્ટમ વધુ મજબૂત અને સાયબર સુરક્ષિત બની શકે છે. જોકે, તેમણે જે ભાષા અને અંદાજમાં ‘કોઈ મરી નથી જવાનું’ કહીને પ્રતિક્રિયા આપી, તેનાથી સામાન્ય કરદાતાઓ અને નાના દુકાનદારોમાં તીવ્ર નારાજગી ફેલાઈ ગઈ છે.

NITI Aayog UPI Charges Remark Sparks Row – વિપક્ષનો આકરો પ્રહાર: ગરીબો અને નાના વેપારીઓનું અપમાન

આ નિવેદન વાયરલ થતાં જ વિપક્ષી નેતાઓએ સરકાર અને નીતિ આયોગ પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષે જણાવ્યું કે દેશના કરોડો રેકડી-પાથરણાંવાળા, શાકભાજી વિક્રેતાઓ અને સામાન્ય નાગરિકો આજે રોકડ છોડીને ₹૫ અને ₹૧૦ ના યુપીઆઈ વ્યવહારો કરી રહ્યા છે. આવા સમયે અધિકારીઓ દ્વારા કરવામાં આવતી આવી અહંકારી ટિપ્પણીઓ દેશના છેવાડાના વર્ગનું સીધું અપમાન છે. વિપક્ષે માગ કરી છે કે સરકાર આ પ્રકારના બેજવાબદાર નિવેદનો પર પોતાનું વલણ સ્પષ્ટ કરે અને કોઈપણ સંજોગોમાં યુપીઆઈ પર ચાર્જ ન લાદવાની સત્તાવાર ગેરંટી આપે.

NITI Aayog UPI Charges Remark Sparks Row – નાણાં મંત્રાલય દ્વારા અગાઉ અપાયેલી સ્પષ્ટતા અને સ્થિતિ

ઉલ્લેખનીય છે કે અગાઉ નાણાં મંત્રાલયે વારંવાર સ્પષ્ટતા કરી છે કે સામાન્ય યુઝર્સ માટે યુપીઆઈ સેવાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે જ રહેશે અને બેંકો માટે સરકાર અલગથી પ્રોત્સાહક ફંડ પૂરું પાડે છે. આમ છતાં, નીતિ આયોગ સ્તરેથી આવી રહેલા આ પ્રકારના સૂચનો દર્શાવે છે કે આર્થિક થિંક ટેન્કની અંદર ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સના મુદ્રીકરણ (મોનેટાઈઝેશન) અંગે આંતરિક ચર્ચાઓ ચાલી રહી છે. આ નિવેદને ફરી એકવાર દેશમાં ફ્રી ડિજિટલ પ્લેટફોર્મ્સ અને પેઈડ ટ્રાન્ઝેક્શન વચ્ચેની ચર્ચાને વેગવંતી બનાવી દીધી છે.

👉 આ સમાચાર વાચો:
Udhampur Encounter Terrorists Killed ઉધમપુરના જંગલોમાં સેનાનો મોટો સપાટો! સામસામે ગોળીબાર બાદ ૨ ખૂંખાર આતંકવાદીઓ ઠાર…

Uddhav Thackeray Slams Fadnavis ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય સરકારનું ભવિષ્ય ભાખ્યું, કહ્યું ‘તુમસે ના હો પાયેગા…’
Shinde Chopper Glitch એકનાથ શિંદેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી વડનગરથી બાય રોડ અમદાવાદ જવા રવાના; સંજય રાઉતનો કટાક્ષ
Toxic Pakistani Creams Alert પાકિસ્તાનની ૨ ફેસ ક્રીમ પર કેન્દ્રનો એલર્ટ ઝેરી મર્ક્યુરી મળતાં વેચાણ પર પ્રતિબંધના આદેશ
Indian Army Combat Dog Tandem Jump આકાશમાં ખૂલ્યો પેરાશૂટ અને રચાયો નવો ઇતિહાસ પ્રથમ વખત હેન્ડલર સાથે કોમ્બેટ ડોગે લગાવી છલાંગ, જુઓ ગર્વ અપાવનારો VIDEO
Exit mobile version