News Continuous Bureau | Mumbai

Droupadi Murmu AIIA : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનના 7મા સ્થાપના દિવસએ આપી હાજરી, જુઓ ફોટોસ.

Droupadi Murmu AIIA : દવાની એકીકૃત પ્રણાલીનો વિચાર સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઈ રહ્યો છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. દવાની વિવિધ પ્રણાલીઓ સાથે સંકળાયેલા લોકો વચ્ચે સહકાર પર ભાર મૂક્યો

News Continuous Bureau | Mumbai

Droupadi Murmu AIIA :  ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (એઆઈઆઈએ)નાં 7માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. 

Join Our WhatsApp Channel

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુર્વેદ ( Ayurveda ) એ વિશ્વની સૌથી જૂની તબીબી પદ્ધતિઓમાંની એક છે. તે વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ છે. આયુર્વેદ મન, શરીર અને આત્મા વચ્ચે સંતુલન જાળવવાની સાથે સાથે સંપૂર્ણ આરોગ્ય વ્યવસ્થાપન પર ભાર મૂકે છે.

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu ) કહ્યું કે આપણે આપણી આસપાસના વૃક્ષો અને છોડના ઔષધીય મૂલ્ય વિશે હંમેશાં જાગૃત રહ્યા છીએ અને તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. આદિવાસી સમાજમાં જડીબુટ્ટીઓ અને ઔષધીય વનસ્પતિઓના જ્ઞાનની પરંપરા વધુ સમૃદ્ધ રહી છે. પરંતુ જેમ જેમ સમાજે આધુનિકતાને અપનાવી અને પ્રકૃતિથી દૂર જતા ગયા, તેમ તેમ આપણે તે પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. ઘરેલું ઉપચાર અપનાવવા કરતાં ડોક્ટર પાસેથી દવા મેળવવી સરળ બની ગઈ. હવે લોકોમાં જાગૃતિ વધી રહી છે. આજે ઈન્ટિગ્રેટિવ સિસ્ટમ ઑફ મેડિસિનનો વિચાર સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની રહ્યો છે. વિવિધ તબીબી પ્રણાલીઓ લોકોને એકબીજાના પૂરક સિસ્ટમો તરીકે આરોગ્ય પ્રદાન કરવામાં મદદ કરી રહી છે.

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણને આયુર્વેદમાં ( All India Institute of Ayurveda )  પેઢી દર પેઢી અતૂટ વિશ્વાસ છે. કેટલાક લોકો આ વિશ્વાસનો લાભ ઉઠાવી નિર્દોષ લોકોને છેતરે છે. તેઓ ભ્રામક માહિતી ફેલાવે છે અને ખોટા દાવા કરે છે, જે જનતાના પૈસા અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં આયુર્વેદને પણ બદનામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે વધુને વધુ લાયકાત ધરાવતા ડોકટરોની જરૂર છે જેથી લોકોને અશિક્ષિત ડોકટરો પાસે જવું ન પડે. તેમને એ જાણીને આનંદ થયો કે છેલ્લાં થોડાં વર્ષોમાં આયુર્વેદ કોલેજો અને વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં લાયકાત ધરાવતા આયુર્વેદિક તબીબોની ઉપલબ્ધતામાં વધુ વધારો થશે.

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુર્વેદનો વિકાસ માત્ર માણસો માટે જ નહીં પરંતુ પ્રાણીઓ અને પર્યાવરણ માટે પણ ફાયદાકારક રહેશે. ઘણા વૃક્ષો અને છોડ લુપ્ત થઈ રહ્યા છે કારણ કે આપણે તેમની ઉપયોગિતા વિશે જાણતા નથી. જ્યારે આપણે તેમનું મહત્વ જાણીશું, ત્યારે અમે તેમને સાચવીશું.

આ સમાચાર પણ વાંચો:  BIS Ahmedabad Manak Mahotsav: વિશ્વ માનક દિવસ નિમિત્તે BIS અમદાવાદએ ગાંધીનગરમાં કરી માનક મહોત્સવની ઉજવણી, કર્યું આ કોન્ક્લેવનું આયોજન.

રાષ્ટ્રપતિએ કહ્યું કે દવાની વિવિધ પદ્ધતિઓ સાથે સંકળાયેલા લોકો ઘણીવાર દાવો કરે છે કે તેમની સિસ્ટમ શ્રેષ્ઠ છે. અંદરોઅંદર તંદુરસ્ત સ્પર્ધા હોવી એ સારી વાત છે પરંતુ એકબીજાની ટીકા કરવાનો પ્રયાસ ન થવો જોઈએ. ચિકિત્સાની વિવિધ પદ્ધતિઓ સાથે સંકળાયેલા લોકોમાં સહકારની ભાવના હોવી જોઈએ. બધાનો હેતુ દર્દીઓને સાજા કરીને માનવતાનું ભલું કરવાનો છે. આપણે બધા પ્રાર્થના કરીએ છીએ કે ‘સર્વે સંતુ નિરમૈયા’- દરેક વ્યક્તિએ રોગોથી મુક્ત થવું જોઈએ.

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુર્વેદની પ્રાસંગિકતા સુનિશ્ચિત કરવા માટે આપણે દવાઓની ગુણવત્તામાં સંશોધન અને સતત સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણે આયુર્વેદ શૈક્ષણિક સંસ્થાઓને પણ સશક્ત બનાવવાની જરૂર છે. તેમને એ જાણીને આનંદ થયો કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, પરંપરાગત શિક્ષણને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને, આયુર્વેદિક ચિકિત્સા ( Ayurvedic medicine ) , શિક્ષણ, સંશોધન અને એકંદર આરોગ્યસંભાળમાં ટૂંકા ગાળામાં તેનું મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું છે.

President Droupadi Murmu congratulated the All India Ayurveda Institute on its 7th foundation day

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version