Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશના ૩ દિવસના પ્રવાસે, આ ખાસ કાર્યક્રમમાં લેશે ભાગ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

બાંગ્લાદેશ આર્મી, નેવી અને એરફોર્સના જવાનો તેમને એરપોર્ટ પર ‘ગાર્ડ ઓફ ઓનર’ આપશે, જ્યાંથી તેઓ રાજધાનીની બહાર સાવર ખાતેના રાષ્ટ્રીય સ્મારક સુધી કાફલામાં જશે. રાષ્ટ્રપતિ કોવિંદ બાંગ્લાદેશના નવ મહિના લાંબા ૧૯૭૧ના મુક્તિ સંગ્રામના શહીદોની યાદમાં પુષ્પાંજલિ અર્પણ કરશે અને એક છોડ રોપશે. વિઝિટર બુકમાં પણ સાઈન કરશે આ પછી, કોવિંદ બાંગ્લાદેશના પિતા શેખ મુજીબુર રહેમાનને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજધાનીના ધનમંડી વિસ્તારમાં બંગબંધુ શેખ મુજીબુર રહેમાન મેમોરિયલ મ્યુઝિયમની મુલાકાત લેવાના છે.  વડાપ્રધાન શેખ હસીના અને વિદેશ મંત્રી ભારતીય રાષ્ટ્રપતિ સાથે સૌજન્ય મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ હામિદ તેમના સમકક્ષ સાથેની વાતચીત બાદ સાંજે બંગભવન રાષ્ટ્રપતિ ભવનમાં તેમના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે, જેમાં હસીના પણ હાજરી આપશે. મુલાકાતની જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ કોવિંદ તેમના સમકક્ષને ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ રશિયન બનાવટની ્‌-૫૫ ટેન્ક અને મિગ-૨૧ વિન્ટેજ એરક્રાફ્ટની બે પ્રતિકૃતિઓ ભેટ તરીકે આપશે.”  રાષ્ટ્રપતિ કોવિંદ ૧૬ ડિસેમ્બરે બાંગ્લાદેશના વિજય દિવસની સુવર્ણ જયંતી નિમિત્તે ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે નેશનલ પરેડ ગ્રાઉન્ડમાં હાજરી આપશે. બપોરે, કોવિંદ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતાને આદર આપવા અને વિજયની ખુશીની ઉજવણી કરવા માટે રાષ્ટ્રીય સંસદ ભવન, દક્ષિણ પ્લાઝા ખાતે ‘ગ્રેટ વિક્ટરી હીરોઝ’ નામના સમારોહમાં હાજરી આપશે.  યાત્રાના ત્રીજા દિવસે, કોવિંદ રાજધાનીના મધ્ય ભાગમાં રમના ખાતે કાલી મંદિરના નવા જીર્ણોદ્ધારિત વિભાગનું ઉદ્‌ઘાટન અને નિરીક્ષણ કરે તેવી અપેક્ષા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “તે એ જ દિવસે ૧૭ ડિસેમ્બરની બપોરે ઢાકાથી રવાના થશે.” બાંગ્લાદેશ એક દેશ તરીકે ઉભરી આવ્યો.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બુધવારે ૫૦મા વિજય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશ જવા રવાના થયા છે. તેમની પ્રથમ ત્રણ દિવસની રાજ્ય મુલાકાત દરમિયાન, તેઓ તેમના સમકક્ષ સાથે વાતચીત કરશે અને બાંગ્લાદેશની ૧૯૭૧ની પાકિસ્તાનથી સ્વતંત્રતાની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે. અગાઉ, બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડૉ. એકે અબ્દુલ મોમેને ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ કોવિંદ ૧૫-૧૭ ડિસેમ્બરે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ એમ. અબ્દુલ હમીદના આમંત્રણ પર બંને પાડોશી દેશો વચ્ચે સારા સંબંધો માટે બાંગ્લાદેશની મુલાકાતે આવી રહ્યા છે. એક અનન્ય ભાવ.  મોમેને રાષ્ટ્રપતિ કોવિંદની મુલાકાતને સમારોહ-સંબંધિત ગણાવી હતી, પરંતુ ઉમેર્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો સંબંધિત તમામ મુદ્દાઓની સમીક્ષા થવાની અપેક્ષા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ કોવિંદની સાથે તેમની પત્ની, પુત્રી અને વરિષ્ઠ અધિકારીઓ પણ હશે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ તેમની પત્ની સાથે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમના ભારતીય સમકક્ષનું સ્વાગત કરશે.

 દ. આફ્રિકા બાદ હવે આ દેશના વડાપ્રધાન થયા કોરોનાગ્રસ્ત, સ્કૂલના ફંક્શનમાં આપી હતી હાજરી 

Super El Nino India Monsoon સુપર અલ નીનો છતાં ભારતમાં ૯૫% વરસાદ કેમ? જાણો તેની પાછળનું હવામાનશાસ્ત્રીય ગણિત
Dharmendra Pradhan Support CJP Protest CJP પ્રોટેસ્ટ એક રાજીનામાથી આંદોલન સમેટાશે, છતાં પીએમ મોદી કેમ ધર્મેન્દ્ર પ્રધાન સાથે મક્કમતાથી ઊભા છે? જાણી લો ૭ મુખ્ય કારણો
CJP Nation Wide Protest Call આવતીકાલે CJPનું દેશવ્યાપી પ્રદર્શન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જોડાવા અપીલ
Kharge Poem Rajya Sabha Kiren Rijiju ‘… પડકાર સામે ટકરાઈ જઈશું’, રાજ્યસભામાં ખડગેએ કવિતા સંભળાવી તો કિરન રિજિજૂ ભડક્યા
Exit mobile version