Site icon News Continuous Bureau | Mumbai

કાંસાની નટરાજ મૂર્તિ, ટેરાકોટા ની ફૂલદાની જેવી અનેક વસ્તુઓ લઈને પરત આવી રહ્યા છે ભારતના વડાપ્રધાન. જાણો આ વસ્તુ શા માટે ભારત માટે મહત્વની છે અને આખરે આ વસ્તુઓ છે શું?

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસથી પરત દેશમાં ફર્યા છે. સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને આપેલા ઉપહાર પણ લાવ્યા છે. બાયડને આપેલી ૧૫૭ વસ્તુઓ પ્રાચીન સમયની કલાકૃતિઓ છે અને આ બધી વસ્તુઓ ભારતની છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ આ કલાકૃતિઓ પાછી આપવા બદલ અમેરિકાનો આભાર માન્યો હતો. ઐતિહાસિક ૧૫૭ વસ્તુઓમાંથી વધારે વસ્તુઓ ૧૧મીથી ૧૪મી શતાબ્દીની છે. જેમાં તાંબાની ૨૦૦૦ પૂર્વેની વસ્તુઓ અને બીજી સદીની ટેરાકોટાની ફૂલદાની છે.

શું તમને ખબર છે કે આઇ.એ.એસ. ની ટ્રેનિગ કઈ રીતે થાય છે? અને શું શીખવવામાં આવે છે? જાણો અહીં

આ કલાકૃતિઓમાં ૧૦મી શતાબ્દીનો નકશીકામ કરેલો પથ્થર છે, ૧૨મી સદીની ૮.૫ સે.મી ઊંચાઈની નટરાજની મૂર્તિનો સમાવેશ છે. તે સિવાય હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મના દેવી-દેવતાઓની નાની મૂર્તિઓ છે. જે ધાતુ, પથ્થર અને ટેરાકોટા માંથી બનેલી છે. કાંસાની વસ્તુઓમાં લક્ષ્મીનારાયણ બુદ્ધ, વિષ્ણુ, શિવ,પાર્વતી અને ૨૪ જૈન તીર્થંકરોની મૂર્તિઓ છે. 

પીએમે કહ્યું હતું કે દેશની પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓને દુનિયાના જુદાજુદા ખૂણેથી સ્વદેશમાં પાછી લાવવાના કેન્દ્ર સરકારના પ્રયત્નોનો આ એક ભાગ છે.

 

Kerala Hotel Restaurant Strike। શું ૬ મેના રોજ કેરળમાં ખાવાપીવાની તકલીફ પડશે? ગેસના ભાવ વધતા હોટલ માલિકોનું મોટું એલાન, આખા રાજ્યમાં હડતાળ
New LPG Rules 2026| એલપીજી ગ્રાહકો સાવધાન તમારું ગેસ કનેક્શન થઈ શકે છે બંધ, સરકારના નવા નિયમો આજથી લાગુ
Maharashtra Auto Marathi Rule। પરપ્રાંતીય રિક્ષા ચાલકોની મુશ્કેલી વધશે? મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ફરજિયાત થતા ઉત્તર ભારતના નેતાઓ લાલઘૂમ, જાણો વિગત
RBI Gold Reserves Return 2026। ૧૯૯૧ જેવી સ્થિતિ હવે ભૂતકાળ સોનાના ભંડાર મામલે ભારતનો મોટો નિર્ણય, વિદેશી બેંકોમાંથી ભારત કેમ ખસેડી રહ્યું છે પોતાનું ગોલ્ડ?
Exit mobile version