Site icon

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની ‘હવાઈ’ મુલાકાતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

વાવાઝોડા તાઉતેને કારણે ગુજરાતને પારાવાર નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં થયેલા નુકસાન સંદર્ભે જાતમાહિતી મેળવવા અને અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. વડા પ્રધાન સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ તથા દીવનું હવાઈ નિરીક્ષણ કરશે ત્યાર બાદ તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદ ઍરપૉર્ટ પર મુખ્ય પ્રધાન અને અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન થયું છે. હજારોની સંખ્યામાં લોકોનાં ઘર તૂટી પડ્યાં છે. એક ડઝનથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે તેમ જ ૪૦,૦૦૦થી વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયાં છે. આ પરિસ્થિતિમાં વડા પ્રધાને પોતે ગુજરાતની સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે.

Jet Fuel Crisis:મોંઘી થશે હવાઈ સફર: જેટ ફ્યુઅલના ભાવમાં તોતિંગ વધારો, સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે સીધો બોજ
Braving the Mines: મોતને હાથતાળી આપી નીકળ્યું ભારતીય જહાજ! માઈન્સથી ભરેલા દરિયામાં ઈરાની સેનાએ આ રીતે બચાવ્યું LPG ટેન્કર
April Rule 2026: આજથી બદલાઈ ગયા આ 7 મોટા નિયમો; રેલવે ટિકિટ, ATM ટ્રાન્ઝેક્શન અને ઇનકમ ટેક્સમાં થયેલા ફેરફારોની તમારા ખિસ્સા પર શું થશે અસર?
PACL Scam Refund: PACL કૌભાંડ: લાખો રોકાણકારો માટે આશાનું કિરણ, ED ₹15,582 કરોડની મિલકતો લોઢા સમિતિને સોંપશે
Exit mobile version