Site icon

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની ‘હવાઈ’ મુલાકાતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

વાવાઝોડા તાઉતેને કારણે ગુજરાતને પારાવાર નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં થયેલા નુકસાન સંદર્ભે જાતમાહિતી મેળવવા અને અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. વડા પ્રધાન સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ તથા દીવનું હવાઈ નિરીક્ષણ કરશે ત્યાર બાદ તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદ ઍરપૉર્ટ પર મુખ્ય પ્રધાન અને અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન થયું છે. હજારોની સંખ્યામાં લોકોનાં ઘર તૂટી પડ્યાં છે. એક ડઝનથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે તેમ જ ૪૦,૦૦૦થી વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયાં છે. આ પરિસ્થિતિમાં વડા પ્રધાને પોતે ગુજરાતની સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે.

Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Exit mobile version