Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની ‘હવાઈ’ મુલાકાતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

વાવાઝોડા તાઉતેને કારણે ગુજરાતને પારાવાર નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં થયેલા નુકસાન સંદર્ભે જાતમાહિતી મેળવવા અને અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. વડા પ્રધાન સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ તથા દીવનું હવાઈ નિરીક્ષણ કરશે ત્યાર બાદ તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદ ઍરપૉર્ટ પર મુખ્ય પ્રધાન અને અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન થયું છે. હજારોની સંખ્યામાં લોકોનાં ઘર તૂટી પડ્યાં છે. એક ડઝનથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે તેમ જ ૪૦,૦૦૦થી વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયાં છે. આ પરિસ્થિતિમાં વડા પ્રધાને પોતે ગુજરાતની સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે.

Supreme Court Ruling on Disinheriting Son હવે તમે તમારા પુત્રને સંપત્તિમાંથી કરી શકશો બેદખલ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
India Rejects Claims of Chinese Intrusion શું ચીન અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિમી અંદર ઘૂસ્યું? હવે આવ્યો ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Exit mobile version