Site icon

આજે સાંજે 6 વાગે PM મોદી કરશે રાષ્ટ્રજોગ સંબોધન, જાણો કયા કયા મહત્વના મુદ્દાઓ કરી શકે છે મનની વાત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

20 ઓક્ટોબર 2020 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. કોરોના વાયરસ મહામારી, ભારત-ચીન સરહદે તણાવ અને 100 થી વધુ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધના નિર્ણય વચ્ચે પીએમ મોદી સંબોધન કરવા જઈ રહ્યાં છે. આવામાં પીએમ મોદી પોતાના સંબોધનમાં અનેક પહેલુઓ પર વાત કરી શકે છે. તેમણે છેલ્લીવાર 12મી મેના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

અનલોક 2.0 ની ગાઈડલાઈન્સ એક જુલાઈથી લાગુ થઈ છે. ગૃહ મંત્રાલયે પોઈન્ટ વાઈઝ માર્ગદર્શિકા બહાર પાડી છે. પોતાના સંબોધનમાં પીએમ મોદી કેટલીક ગતિવિધિઓને છૂટ ન આપવાના કારણ જણાવી શકે છે. 

દેશમાં જે પ્રકારે કોરોના વાયરસના સંક્રમણના કેસ વધ્યા છે તેને જોતા પીએમ મોદી ફરી એકવાર જનતાને સમજાવી શકે છે કે વેક્સિન ન મળે ત્યાં સુધી કોરોનાથી બચવાના આ જ શ્રેષ્ઠ ઉપાય છે. 

કેન્દ્ર સરકારે 100 થી વધુ ચીની એપ્સને બેન કરવાનો જે નિર્ણય લીધો છે તેના પર પીએમ મોદી બોલી શકે છે. રવિવારે મન કી બાતમાં પીએમ મોદીએ સરહદ પર રહેલા તણાવનો ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું હતું કે ભારતમાતા પર નજર નાખનારાઓને જવાબ આપી દેવાયો છે.

લોકડાઉનના કારણે ઘરોમાં જ કેદ બાળકો અંગે પીએમ મોદી વાત કરી શકે છે. હાલ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. આવામાં પીએમ મોદી બાળકોને ઘરેથી જ અભ્યાસ કરવા માટે પ્રેરિત કરી શકે છે. ઓનલાઈન ક્લાસિઝનું મહત્વ સમજાવી શકે છે. આ દિશામાં લેવાયેલા પગલાંની જાણકારી આપી શકે છે. 

સરકારે ઘરેલુ ઉડાણોને પરમિશન આપી છે પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ હજુ પણ વંદે ભારત મિશન હેઠળ જ ઓપરેટ થશે. મુસાફરીના મહત્વના સાધનોને સિમિત રાખવા અંગે બોલી શકે છે. તમામ સેવાઓ ક્યાં સુધીમાં ખોલાશે તે અંગેની જાણકારી આપી શકે છે. 

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version