Site icon News Continuous Bureau | Mumbai

જરા સમજો.. જૂના કાયદાથી નવી સદીનું નિર્માણ શક્ય નથી.. વિકાસ કરવો હશે તો સુધારણા જરૂરી છે : પીએમ મોદી

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

08 ડિસેમ્બર 2020

કૃષિ કાયદાના સતત વિરોધ છતાં પણ નિયમોમાં સુધારો એ સમયની માંગ હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું  છે. તેમણે કહ્યું કે, વિકાસ માટે સુધારા જરૂરી છે. પાછલી સદીના કેટલાક કાયદાઓ બોજ બની ગયા છે. જૂના કાયદાઓ સાથે નવી સદી બનાવી શકાતી નથી. 

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર મોટા પાયે સુધારણા કરી રહી છે. જ્યારે અગાઉના સુધારાઓ અમુક ક્ષેત્ર અને રાજ્યોને ધ્યાનમાં રાખીને જ થતા હતા. મોદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલા સુધારાથી દેશનો વિશ્વાસ વધ્યો છે.

 

સ્થાવર મિલકત માટે બનાવેલા કાયદા, 'રેરા'નું ઉદાહરણ આપતા વડા પ્રધાને કહ્યું કે આનાથી મધ્યમ વર્ગને ઝડપથી મકાનો મળી રહયાં છે. આજે પણ શહેરોમાં સમસ્યા એ છે કે કેટલાક લોકોને ભાડા માટે મકાનો શોધવામાં મુશ્કેલી પડે છે, જ્યારે મોટી સંખ્યામાં મકાનો ખાલી છે. આને પહોંચી વળવા રાજ્યોને કાયદામાં છૂટ પણ આપવામાં આવી છે.

Pahalgam Attack। સેનાનો પાકિસ્તાનને કરારો જવાબ ‘પહેલગામના શહીદોને ન્યાય મળી ગયો છે’, હુમલાની વરસી પહેલા ભારતનો આકરો સંદેશ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
Exit mobile version