Site icon News Continuous Bureau | Mumbai

જરા સમજો.. જૂના કાયદાથી નવી સદીનું નિર્માણ શક્ય નથી.. વિકાસ કરવો હશે તો સુધારણા જરૂરી છે : પીએમ મોદી

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

08 ડિસેમ્બર 2020

કૃષિ કાયદાના સતત વિરોધ છતાં પણ નિયમોમાં સુધારો એ સમયની માંગ હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું  છે. તેમણે કહ્યું કે, વિકાસ માટે સુધારા જરૂરી છે. પાછલી સદીના કેટલાક કાયદાઓ બોજ બની ગયા છે. જૂના કાયદાઓ સાથે નવી સદી બનાવી શકાતી નથી. 

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર મોટા પાયે સુધારણા કરી રહી છે. જ્યારે અગાઉના સુધારાઓ અમુક ક્ષેત્ર અને રાજ્યોને ધ્યાનમાં રાખીને જ થતા હતા. મોદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલા સુધારાથી દેશનો વિશ્વાસ વધ્યો છે.

 

સ્થાવર મિલકત માટે બનાવેલા કાયદા, 'રેરા'નું ઉદાહરણ આપતા વડા પ્રધાને કહ્યું કે આનાથી મધ્યમ વર્ગને ઝડપથી મકાનો મળી રહયાં છે. આજે પણ શહેરોમાં સમસ્યા એ છે કે કેટલાક લોકોને ભાડા માટે મકાનો શોધવામાં મુશ્કેલી પડે છે, જ્યારે મોટી સંખ્યામાં મકાનો ખાલી છે. આને પહોંચી વળવા રાજ્યોને કાયદામાં છૂટ પણ આપવામાં આવી છે.

Vande Mataram bill passed in Lok Sabha રાષ્ટ્રીય પ્રતીકોના અપમાન સામે કડક કાયદો… સંસદમાં વંદે માતરમ બિલ મંજૂર, દોષિતોને જેલ અને દંડ થશે.
Kharge remark Rajya Sabha ખડગેની મનુસ્મૃતિ વાળી ટિપ્પણી પર રાજ્યસભામાં હોબાળો, વિવાદાસ્પદ નિવેદન રેકોર્ડમાંથી હટાવવામાં આવ્યું
E25 Petrol launch plans E20થી પરેશાન છો? હવે E25 પેટ્રોલ લાવવાની તૈયારીમાં સરકાર, જાણો શું બદલાશે વાહનો પર તેની અસર
Voter ID Aadhaar not citizenship proof નાગરિકતા મામલે અદાલતની સ્પષ્ટતા, ઓળખપત્રો એ નાગરિકતા સાબિત કરતા દસ્તાવેજો નથી, હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો.
Exit mobile version