Site icon News Continuous Bureau | Mumbai

પત્રકારત્વ જગતમાં શોકની લહેર, દૂરદર્શનની જાણીતી એન્કર ગીતાંજલિ અય્યરનું થયું નિધન, ટીવી જર્નાલિઝમ ક્ષેત્રે બનાવ્યા હતા આ રેકોર્ડ…

ગીતાંજલિ અય્યર અંગ્રેજી સમાચારની એન્કર હતી. તેમણે 1971માં દૂરદર્શનમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે ટીવી જર્નાલિઝમ ક્ષેત્રે ઘણા રેકોર્ડ બનાવ્યા.

prominent TV presenter Gitanjali Aiyar passes away

પત્રકારત્વ જગતમાં શોકની લહેર, દૂરદર્શનની જાણીતી એન્કર ગીતાંજલિ અય્યરનું થયું નિધન, ટીવી જર્નાલિઝમ ક્ષેત્રે બનાવ્યા હતા આ રેકોર્ડ…

News Continuous Bureau | Mumbai

નેવુંના દાયકાના જાણીતા ટેલિવિઝન એન્કર ગીતાંજલિ અય્યર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ 76 વર્ષના હતા. તેમના અવસાનના સમાચાર મળતાં પત્રકારત્વ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ 3 દાયકાથી વધુ સમયથી દૂરદર્શનમાં કામ કરનાર ગીતાંજલિના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અય્યરના નિધનથી તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકો પણ તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Join Our WhatsApp Channel

ગીતાંજલિ અંગ્રેજી સમાચારના એન્કર હતા. તેમણે 1971માં દૂરદર્શનમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે ટીવી જર્નાલિઝમ ક્ષેત્રે ઘણા રેકોર્ડ બનાવ્યા. તેમણે તેમની ત્રણ દાયકાની પત્રકારત્વ કારકિર્દીમાં ચાર વખત શ્રેષ્ઠ એન્કર પર્સનનો એવોર્ડ જીત્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું ‘બિપરજોય’, મુંબઈ સહિત કોકણ કિનારાપટ્ટી પર ચક્રવાતનો ઘુઘવાટ, પાલિકાની યંત્રણાઓ સજ્જ

તેમને તેમના ઉત્કૃષ્ટ કાર્યો, સિદ્ધિઓ અને યોગદાન માટે 1989 માં ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમની પાસે અંગ્રેજીમાં સ્નાતકની ડિગ્રી હતી. આ પછી તેમણે કોલકાતાની લોરેટો કોલેજમાંથી માસ્ટર્સ કર્યું. તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માંથી ડિપ્લોમા મેળવ્યો.

દૂરદર્શનમાં ત્રીસ વર્ષ એન્કરિંગ કર્યા પછી, તેમણે કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ, સરકારી સંબંધો અને માર્કેટિંગ ક્ષેત્રે પણ કામ કર્યું. તેઓ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ની સલાહકાર પણ રહી ચુક્યા છે. આ સિવાય તેમણે સિરિયલ ‘ખાનદાન’માં પણ કામ કર્યું હતું.

New plan of Cockroach Janata Party આંદોલન સફળ રહ્યા બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો પ્લાન! દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત
India on PoJK elections ‘ગોળીઓ ચલાવીને જનતાનું દમન કરી રહ્યું છે પાકિસ્તાન’ ભારતએ PoJK ચૂંટણી પર પાકને બતાવ્યો આઈના
Amit Shah fugitive criminals India ૭ વર્ષમાં ૩૬ દેશોમાંથી પાછા લાવવામાં આવ્યા ૨૭૫ ભાગેડુ અપરાધીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોર્ડર પારના ગુનેગારો પર કસી લગામ
Vishwesh Negi વિશ્વેશ નેગી બનેલા ઈરાનમાં ભારતના નવા રાજદૂત મધ્ય પૂર્વના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો કૂટનીતિક નિર્ણય
Exit mobile version