Site icon

Indian Citizenship: શું આધાર, પાસપોર્ટ કે પાન કાર્ડ ના હોય તો પણ ભારતીય નાગરિકતા સાબિત કરી શકાય? જાણો કયા દસ્તાવેજો છે કામના

Indian Citizenship: ભારતમાં નાગરિકતા સાબિત કરવા માટે માત્ર આધાર, પાસપોર્ટ કે પાન કાર્ડ જ જરૂરી નથી. આ કાયદાકીય પ્રક્રિયા અને અન્ય વિકલ્પો વિશે વિગતવાર જાણો.

Indian Citizenship શું આધાર, પાસપોર્ટ કે પાન કાર્ડ ના હોય તો પણ ભારતીય નાગરિકતા સાબિત કરી શકાય

Indian Citizenship શું આધાર, પાસપોર્ટ કે પાન કાર્ડ ના હોય તો પણ ભારતીય નાગરિકતા સાબિત કરી શકાય

News Continuous Bureau | Mumbai
Indian Citizenship ઘણીવાર આપણે એવું માની લઈએ છીએ કે જો કોઈ વ્યક્તિ પાસે આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા પાન કાર્ડ ન હોય તો તેની ઓળખ અને નાગરિકતા સાબિત કરવી મુશ્કેલ છે. પરંતુ આ માન્યતા સાચી નથી. ભારતીય નાગરિકતા માત્ર આ ત્રણ દસ્તાવેજો પર આધારિત નથી. ભારતીય કાયદામાં ઘણા વિકલ્પો અને જોગવાઈઓ છે, જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાની ભારતીય ઓળખ સાબિત કરી શકે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ભારતીય નાગરિકતા અધિનિયમ, 1955 પર આધારિત છે.

નાગરિકતા અધિનિયમ, 1955 અને તેના નિયમો

ભારતમાં નાગરિકતા સાબિત કરવા માટેનો મુખ્ય આધાર નાગરિકતા અધિનિયમ, 1955 છે. આ કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય અને તેના માતા-પિતા ભારતીય હોય, અથવા જો તેણે લાંબા સમય સુધી ભારતમાં રહીને કાયદેસર રીતે નાગરિકતા મેળવી હોય, તો તે ભારતીય નાગરિક ગણાય છે. આ કાયદો સ્પષ્ટ કરે છે કે નાગરિકતા સાબિત કરવા માટે માત્ર આધાર, પાન અને પાસપોર્ટ જ એકમાત્ર જરૂરી દસ્તાવેજો નથી. આ દસ્તાવેજો ઓળખ માટે મહત્વના છે, પરંતુ નાગરિકતાનો આધાર કાયદો છે, નહીં કે કોઈ ચોક્કસ કાર્ડ.

Join Our WhatsApp Community

અન્ય દસ્તાવેજો જે નાગરિકતા સાબિત કરી શકે છે

જો કોઈ વ્યક્તિ પાસે ઉપરોક્ત મુખ્ય ઓળખપત્રો ન હોય, તો તે અન્ય સરકારી અને સ્થાનિક દસ્તાવેજોની મદદ લઈ શકે છે. આ દસ્તાવેજો નાગરિકતાના પુરાવા તરીકે માન્ય ગણાય છે.
જન્મ પ્રમાણપત્ર
શાળા અથવા કોલેજનો રેકોર્ડ
મતદાર ઓળખપત્ર
રેશનકાર્ડ
વીજળી અથવા પાણીના બિલ
મકાનની નોંધણી ના કાગળો
પંચાયત અથવા નગરપાલિકા દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર
સરકારી નોકરી ના દસ્તાવેજો

આ સમાચાર પણ વાંચો : PM Modi Japan visit: અમેરિકાને ‘જોરદાર ફટકો’! વડાપ્રધાન મોદીની સીધી ચીન મુલાકાત સાથે ની મુલાકાત થી શું ટ્રમ્પની ઉડી જશે ઊંઘ?

સ્થાનિક પ્રશાસનની મદદ અને અન્ય પુરાવા

જો કોઈ વ્યક્તિ પાસે ઉપરોક્ત દસ્તાવેજો પણ ન હોય, તો તે સ્થાનિક પ્રશાસનની મદદ લઈ શકે છે. તહસીલ, નગર નિગમ કે પંચાયતમાં થી પ્રમાણપત્ર મેળવીને પણ નાગરિકતા સાબિત કરી શકાય છે. ઘણા કિસ્સાઓમાં, શાળાના જૂના રજિસ્ટર, હોસ્પિટલના રેકોર્ડ, અને ગ્રામ પ્રધાન કે નગરપાલિકાની ભલામણ પણ પુરાવા તરીકે માન્ય ગણાય છે. અદાલત અથવા તપાસ એજન્સી જરૂર પડ્યે સાક્ષીઓ અને પાડોશીઓની જુબાની પણ નોંધી શકે છે. ભારતમાં સરકારે એવી જોગવાઈઓ કરી છે કે કોઈ પણ નાગરિક સરળતાથી પોતાની ઓળખ સાબિત કરી શકે અને કોઈ મુશ્કેલી ન આવે. આ જ કારણ છે કે હવે જન્મ પ્રમાણપત્ર બનાવવાની ઉંમર મર્યાદા પણ દૂર કરી દેવામાં આવી છે.

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version