Site icon News Continuous Bureau | Mumbai

JNU Sloganeering: JNU ફરી વિવાદોના વંટોળમાં: પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ લાગ્યા વિવાદાસ્પદ નારા; ઉમર ખાલિદના જામીન રદ થતા વિદ્યાર્થીઓનો ભારે હોબાળો

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણના આરોપીઓની જામીન અરજી ફગાવતા કેમ્પસમાં ભારે હોબાળો; ભાજપે 'અર્બન નક્સલ' કહી વિરોધ પ્રદર્શનની કરી આકરી ટીકા.

JNU Sloganeering: JNU ફરી વિવાદોના વંટોળમાં: પીએ

JNU Sloganeering: JNU ફરી વિવાદોના વંટોળમાં: પીએ

News Continuous Bureau | Mumbai

JNU Sloganeering  દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) એકવાર ફરી વિવાદોના કેન્દ્રમાં આવી છે. વર્ષ 2020 ના દિલ્હી રમખાણોના કેસમાં આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યા બાદ કેમ્પસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અત્યંત વાંધાજનક અને ભડકાઉ નારેબાજી કરી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

“મોદી-શાહ તેરી કબર ખુદેગી” ના લાગ્યા નારા

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે વિદ્યાર્થીઓનો એક સમૂહ ‘મોદી-શાહ તેરી કબર ખુદેગી, જેએનયુ કી ધરતી પર’ જેવા નારા લગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે આ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ ગંભીર પુરાવાઓ છે, તેથી તેમને જામીન આપી શકાય નહીં. આ નિર્ણય બાદ જેએનયુના ડાબેરી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને ન્યાયતંત્ર અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

 

ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાનો પ્રહાર

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ આ ઘટનાની આકરી નિંદા કરતા તેને ‘અર્બન નક્સલ’ પ્રવૃત્તિ ગણાવી છે. પૂનાવાલાએ કહ્યું કે, “જેમને સુપ્રીમ કોર્ટે આતંકવાદ માટે જવાબદાર માન્યા છે, તેમના બચાવમાં હવે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ કોંગ્રેસ ઇકોસિસ્ટમના વિદ્યાર્થીઓ છે જેઓ દેશવિરોધી એજન્ડા ચલાવી રહ્યા છે.” તેમણે આરોપ લગાવ્યો કે આ ભારત વિરોધી સમૂહ દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Devendra Fadnavis: શું મહાયુતિમાં બધું બરાબર નથી? અજિત પવારના નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસની લાલ આંખ; આપ્યો અત્યાર સુધીનો સૌથી આકરો વળતો જવાબ

ABVP અને શિક્ષણ મંત્રીએ ઘટનાને વખોડી કાઢી

ABVP ના ઉપાધ્યક્ષ મનીષ ચૌધરીએ જણાવ્યું કે જેએનયુમાં આવી નારેબાજી હવે સામાન્ય વાત બની ગઈ છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. બીજી તરફ, દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદે પણ આ ઘટનાને અત્યંત નિંદનીય ગણાવતા કહ્યું કે, “વડાપ્રધાનની નીતિઓનો વિરોધ થઈ શકે છે, પરંતુ તેમને આવી ધમકી આપવી તે દેશદ્રોહ સમાન છે. આમાં વિદેશી તાકાતોનો હાથ હોવાની પણ શક્યતા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે કેટલાક ધારાસભ્યોના સમર્થનને કારણે આવા વિદ્યાર્થીઓની હિંમત વધી રહી છે.

 

PM Modi Central Asia Visit વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ પીએમ મોદીનો ૪ દિવસીય મધ્ય એશિયા પ્રવાસ, SCO સમિટ પર આખી દુનિયાની નજર
Operation Sindoor Aftermath ઓપરેશન સિંદૂરની ધાક બોખલાયેલા પાકિસ્તાને ભારત વિરુદ્ધ આ દેશ સાથે હાથ મિલાવ્યા, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
Special Parliament Session Delimitation મહિલા ક્વોટા અને સીમાંકન પર સરકારનો માસ્ટર પ્લાન સપ્ટેમ્બરમાં સંસદનું ખાસ સત્ર મળવાની શક્યતા, આ ‘પરીક્ષા’ બનશે નિર્ણાયક
Hindu Kush Himalaya Warning ૫ મહિના પહેલાં મળેલી ચેતવણી સાચી પડી નેપાળમાં ભયાનક કુદરતી હોનારત, ભારતની ચિંતામાં મોટો વધારો
Exit mobile version