Site icon News Continuous Bureau | Mumbai

Pulwama Encounter : જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓ સાથે અથડામણ, સેનાની જવાબી કાર્યવાહીમાં આટલા આતંકીઓ ઠાર..

Pulwama Encounter :જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતીય સેનાનું આતંકવાદ વિરોધી અભિયાન વધુ તીવ્ર બન્યું છે. કાશ્મીર ખીણમાં ભારતીય સેના હવે એલર્ટ મોડ પર છે અને આતંકવાદીઓની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે. ગુરુવારે, પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.

Pulwama Encounter Encounter breaks out between security forces, terrorists in Pulwama

Pulwama Encounter Encounter breaks out between security forces, terrorists in Pulwama

 News Continuous Bureau | Mumbai

 Pulwama Encounter :જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ખીણમાં સેના એલર્ટ મોડ પર છે અને દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન, આજે સવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.

Join Our WhatsApp Channel

 Pulwama Encounter : ઓપરેશન હજુ પણ ચાલુ 

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના નાદિર ગામમાં સુરક્ષા દળોએ ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું. મોડી રાત સુધી ચાલેલા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન બાદ, દક્ષિણ કાશ્મીરના ત્રાલના નાદિર ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. સૂત્રો કહે છે કે 2 થી 3 આતંકવાદીઓ હવે સેનાના સકંજામાં ફસાઈ ગયા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે.

 Pulwama Encounter :2 આતંકવાદીઓ માર્યા ગયા

ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે પોસ્ટ કર્યું, 15 મે 2025 ના રોજ, એક આંતરરાષ્ટ્રીય એજન્સીના ચોક્કસ ગુપ્તચર ઇનપુટના આધારે, ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને શ્રીનગર સેક્ટર CRPF એ નાદેર, ત્રાલ, અવંતીપોરામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સતર્ક સૈનિકોએ શંકાસ્પદ હિલચાલ જોઈ અને પડકાર ફેંકાતા આતંકવાદીઓએ ભારે ગોળીબાર શરૂ કરી દીધો. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો સુરક્ષા દળોએ યોગ્ય જવાબ આપ્યો અને બે આતંકવાદીઓને ઠાર માર્યા.

આ સમાચાર પણ વાંચો :Indo Myanmar Border: હવે ભારત-મ્યાનમાર સરહદ પર તણાવ, આસામ રાઇફલ્સની મોટી કાર્યવાહી, આટલા આતંકવાદીઓ ઠાર

 Pulwama Encounter :શોપિયામાં પણ એન્કાઉન્ટર થયું હતું

મહત્વનું છે કે સમગ્ર દેશ અને જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નાબૂદ કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બની છે. પુલવામામાં સર્ચ ઓપરેશન પહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લાના શુક્રુ કેલરના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં સેનાને મોટી સફળતા મળી હતી. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
Exit mobile version