Site icon

Rahul Gandhi Defamation Case: મોદી અટક કેસમાં ગુજરાત હાઈકોર્ટેથી રાહુલ ગાંધીને મોટો ઝટકો, કોંગ્રેસની બોલી – સુપ્રીમ કોર્ટમાં જશું

Rahul Gandhi Defamation Case: ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની તેમની 'મોદી અટક' ટિપ્પણી સામે માનહાનિના કેસમાં સજા પર રોક લગાવવાનો ઇનકાર કરતા સેશન્સ કોર્ટના આદેશને સમર્થન આપ્યું હતું.

Congress, China bhai bhai BJP lashes out at Rahul Gandhi over Cambridge lecture

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ચીન પ્રેમ છલકાયો, ચીનને 'શાંતિદૂત' ગણાવી, ભારતની આબરૂના લીરેલીરા ઉડાડ્યા.. જાણો શું શું કહ્યું..

News Continuous Bureau | Mumbai

Rahul Gandhi Defamation Case: મોદી અટક સંબંધિત માનહાનિ કેસ (Defamation case related to Modi surname) માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi) ને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે રાહુલ ગાંધીની પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે ટ્રાયલ કોર્ટનો દોષિત ઠેરવવાનો આદેશ યોગ્ય છે, આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી સામે ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે.
હાઈકોર્ટના આ નિર્ણય પછી, રાહુલ ગાંધી હવે 2024ની લોકસભાની ચૂંટણી (2024 Lok Sabha Election) લડી શકશે નહીં, ન તો તેઓ સંસદ સભ્ય (MP) તરીકેના તેમના દરજ્જાના સસ્પેન્શનને રદ કરવાની માંગ કરી શકશે. તે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં અપીલ કરી શકે છે. રાહુલની લોકસભાની સદસ્યતા પહેલા જ જતી રહી છે.
હાઈકોર્ટે, અગાઉ રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતી વખતે, કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે ઉનાળાના વેકેશન પછી અંતિમ આદેશ પસાર કરશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3: ભારતીયો માટે સૌથી મોટા સમાચાર, ચંદ્રયાન-3 ‘આ’ દિવસે અવકાશમાં લોન્ચ થશે.

મોદી સરનેમ કેસની સમયરેખા

લોકસભા ચૂંટણી 2019 પહેલા, 13 એપ્રિલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી અટક’ (Modi Surname) પર નિવેદન આપ્યું હતું. સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે (Metropolitan Magistrate Court of Surat) 23 માર્ચે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 (Criminal defamation) હેઠળ ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા 2019ના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

આ પછી 24 માર્ચે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી હતી. 25 માર્ચે રાહુલ ગાંધીએ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. 27 માર્ચે સરકારી બંગલો છોડવાની નોટિસ મળી હતી. 22 એપ્રિલે રાહુલ ગાંધીએ બંગલો ખાલી કર્યો હતો. સુરત સેશન્સ કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમને રાહત મળી ન હતી. આ પછી, હાઈકોર્ટમાં તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

PM Modi Middle East Diplomacy: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે પીએમ મોદીની ‘મિડિલ ઈસ્ટ ડિપ્લોમેસી’: ૫ દેશોના દિગ્ગજ નેતાઓ સાથે શું થઈ વાત?
Weather Alert: હવામાનનું મહાઅલર્ટ: દેશના ૧૯ રાજ્યોમાં વાવાઝોડાનું ‘રૌદ્ર સ્વરૂપ’ મચાવશે તબાહી, કવખતના વરસાદથી ખેતીના પાક પર સંકટ
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Exit mobile version