Site icon News Continuous Bureau | Mumbai

સરકાર ઊંઘતી રહી; ચીને આવીને હુમલો કર્યો જેમાં 20 જવાનોએ જીવ ગુમાવવા પડ્યાં- રાહુલ ગાંધી

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
19 જુન 2020
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધયુ છે. એલએસી પર થયેલી હિંસક અથડામણમાં 20 જવાનોની શહાદત અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. રાહુલે એક ટ્વિટ દ્વારા પૂછ્યુ છે કે "હવે આ વાત  સ્પષ્ટ થઈ ગઈ છે કે આખી યોજના બનાવી ચીને ભારતીય સૈનિકો પર હુમલો કર્યો છે. જો સરકાર સમયસર જાગી હોત, તો આ ઘટનાને રોકી શકી હોત". રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ની સુવાની કિંમત અમારા શહીદ સૈનિકોએ જીવ ગુમાવી ચૂકવવી પડી છે. 
નોંધપાત્ર વાત એ છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પણ  લદ્દાખની ગાલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોની શહાદત માટે સરકાર પર નિશાન સાધ્યું હતું અને પૂછ્યું હતું કે ચીનને સમજાવવા આપણા સૈનિકો નિ:શસ્ત્ર કેમ ગયા હતા? તેવો સવાલ કર્યો હતો. 
કોંગ્રેસ નેતાએ ગયા બુધવારે પણ આ જ મામલે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે,'વડા પ્રધાન શા માટે ચૂપ છે? શા માટે તેઓ છુપાયેલા છે? બસ બહુ થયું હવે શું સાચું છે તે બધાને જણવવાની જરૂર છે.” વધુમાં તેમણે કહ્યું,“ ચીન આપણા સૈનિકોને મારી નાખવાની હિંમત કેવી રીતે કરી શકે? તેઓ ભારતની જમીન કબજે કરવાની હિંમત કેવી રીતે કરી હે? 
આમ રાહુલ ગાંધી પાછલાં 5 દિવસથી એક જ મુદ્દે વિવિધ પ્રશ્ર્નો રોજ મોદી સરકાર ને પૂછી રહયાં છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

Join Our WhatsApp Channel

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

El Nino Impact અલ નિનોની ભારતીય ચોમાસા પર કેવી અસર પડે છે? ભારે વરસાદ, પૂર અને દુષ્કાળ પાછળનું મોટું કારણ
JPSC Exam જેપીએસસી વિવાદે પકડ્યું જોર હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે પરીક્ષાનું ભવિષ્ય, સીબીઆઈ તપાસની માંગ
Akali DalBJP Alliance આપ અને કોંગ્રેસ સામે લડવા માટે રણનીતિ, અકાલી દળ દ્વારા મોટી જાહેરાત બાદ રાજકીય ગરમાવો
Muslim NATO plan Pakistan India war analysis જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો શું તુર્કી અને સાઉદી અરેબિયા ભારત સામે લડશે? જાણો શું છે ‘મુસ્લિમ નાટો’ નું આખું પ્લાનિંગ
Exit mobile version