Site icon News Continuous Bureau | Mumbai

રાહુલ ગાંધીએ ખાલી કર્યો બંગલો, આજે સોંપશે લોકસભા સચિવાલયને ચાવી, જાણો હવે ક્યાં રહેશે કોંગ્રેસ નેતા

માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવેલા કોંગ્રેસના પૂર્વ સાંસદે 12, તુગલક લેન ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું છે. રાહુલ ગાંધી શુક્રવારે તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી તેમનો તમામ સામાન લઈ ગયા હતા.

Bharat Jodo Yatra 2: Rahul Gandhi will start the second phase of 'Bharat Jodo Yatra' from Gujarat; Congress' 'padayatra' will also be held in Maharashtra

Bharat Jodo Yatra 2: Rahul Gandhi will start the second phase of 'Bharat Jodo Yatra' from Gujarat; Congress' 'padayatra' will also be held in Maharashtra

News Continuous Bureau | Mumbai

માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવેલા કોંગ્રેસના પૂર્વ સાંસદે 12, તુગલક લેન ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું છે. રાહુલ ગાંધી શુક્રવારે તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી તેમનો તમામ સામાન લઈ ગયા હતા. માહિતી અનુસાર, તેઓ 22 એપ્રિલે 12, તુગલક લેન બંગલો લોકસભા સચિવાલયને સોંપશે. ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષને મોદી સરનેમ સંબંધિત એક કેસમાં તેમની ટિપ્પણી બદલ બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા બાદ તેમને 22 એપ્રિલ સુધીમાં જગ્યા ખાલી કરવા કહેવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Channel

જોકે, રાહુલ ગાંધીએ 14 એપ્રિલથી જ પોતાનું નિવાસસ્થાન ખાલી કરવાનું શરૂ કરી દીધું હતું. આ પછી તેમણે શુક્રવારે સાંજે તે બંગલામાંથી પોતાનો બાકીનો સામાન હટાવી દીધો. આ બંગલો તેમને સાંસદ તરીકે ફાળવવામાં આવ્યો હતો. તેમના સામાન સાથે એક ટ્રક બિલ્ડિંગમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. જણાવી દઈએ કે રાહુલ ગાંધી લગભગ બે દાયકાથી આ બંગલામાં રહેતા હતા. 2004ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ જ્યારે રાહુલ ગાંધી પહેલીવાર સંસદમાં પહોંચ્યા ત્યારે તેમને આ નિવાસસ્થાન ફાળવવામાં આવ્યું હતું.

માહિતી અનુસાર, તેમની ઓફિસ બદલ્યા પછી, તેઓ પહેલેથી જ તેમની માતા અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના 10, જનપથ આવાસ પર રહેવા લાગ્યા છે. અને રાહુલ ગાંધી પોતાના અંગત કાર્યાલય માટે જગ્યા શોધી રહ્યા છે. થોડા વર્ષો પહેલા, પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ એસપીજી સુરક્ષા કવચ પાછું ખેંચી લીધા પછી લોધી એસ્ટેટમાં તેમનો બંગલો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી પહેલીવાર 2004માં ઉત્તર પ્રદેશના અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 2019માં વાયનાડથી લોકસભા ચૂંટણી જીત્યા હતા.

આ સમાચાર પણ વાંચો:   મુંબઈગરાઓ પાણી જરા સાચવીને વાપરો, શહેરમાં પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર આટલા ટકા જથ્થો બાકી..

Congress Vande Mataram controversy સ્વતંત્રતા દિવસ (Independence Day) ના અવસરે ‘વંદે માતરમ’ના અપમાનનો મામલો ભાજપના નેતા સુધાશુ ત્રિવેદીએ કોંગ્રેસ પાસે માંગી માફી
PM Modi Fumble during speech શું ખરેખર સ્વતંત્રતા દિવસના ભાષણમાં થઈ વાણીની ક્ષતિ? સોશિયલ મીડિયા પર ચર્ચા
Sonia Gandhi Vande Mataram શું સોનિયા ગાંધીએ કોંગ્રેસ ભવનમાં પૂરું ‘વંદે માતરમ્’ ગાવાની ના પાડી? જાણો સમગ્ર વિવાદની અંદરની વિગતો
PM Modi 80th Independence Day Speech ૮૦મા સ્વતંત્રતા પર્વે લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું સંબોધન પેટ્રોલગેસ અને રેલવે વિકાસના ગણાવ્યા કામો, વિપક્ષ પર આકરા પ્રહારો
Exit mobile version