Site icon News Continuous Bureau | Mumbai

Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું છે કે તેઓ 'વોટ ચોરી' અને 'જનરેશન Z' જેવા નિવેદનો આપીને દેશમાં અરાજકતા અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Rahul Gandhi રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ

Rahul Gandhi રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ

News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ‘મત ચોરી’ અને ‘જનરેશન Z’ સંબંધિત આપેલા નિવેદનો પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આકરા પ્રહારો કર્યા છે. ગિરિરાજ સિંહે રાહુલ પર દેશમાં ગૃહયુદ્ધ ભડકાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. બિહારના બેગુસરાયમાં ગિરિરાજ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી નિરાશ થઈ ગયા છે. ક્યારેક તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ કરે છે, ક્યારેક ‘જનરેશન Z’ વિશે વાત કરે છે, ક્યારેક મુસ્લિમ સમાજને ભડકાવે છે, તો ક્યારેક છીછરા અને અસંબદ્ધ નિવેદનો આપે છે. ગિરિરાજે આને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું.

ઘૂસણખોરી પર કેન્દ્રીય મંત્રીના નિવેદનો

Rahul Gandhi ઘૂસણખોરીના મુદ્દા પર બોલતા તેમણે કહ્યું કે, સમગ્ર ભારતમાંથી ઘૂસણખોરો ને બહાર કાઢવા જોઈએ. ભારતને ઘૂસણખોર-મુક્ત કરવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે ઈન્દિરા ગાંધીએ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ કાર્યવાહી કરી નહોતી. પશ્ચિમ બંગાળ અને બિહાર રાજ્યો ઘૂસણખોરો માટે આશ્રયસ્થાન બની ગયા છે. ઘૂસણખોરો હવે ભારતના નાગરિકોના અધિકારો છીનવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે જ્યાં ભાજપની સરકારો છે, ત્યાં અમે ઘૂસણખોરો ને ઓળખીને બહાર કાઢી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ઘૂસણખોરો ને મસ્જિદોની છત્રછાયા હેઠળ આશ્રય આપવામાં આવ્યો છે, જે એક વાસ્તવિકતા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે

રાષ્ટ્રગાન વિશે ગિરિરાજ સિંહ

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાષ્ટ્રગાન અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ગિરિરાજ સિંહે કહ્યું કે રાષ્ટ્રગાન એ દેશભક્તિનું પ્રતીક છે. રાષ્ટ્ર વિના કંઈ પણ પૂર્ણ નથી. તેથી, રાષ્ટ્રની પ્રતિષ્ઠા અને ગૌરવ જાળવી રાખવું જરૂરી છે. ગિરિરાજે કહ્યું કે દર અઠવાડિયે તમામ ધર્મસ્થળોમાં રાષ્ટ્રગાન થવું જોઈએ, આ એક યોગ્ય ભાવના છે.

Rahul Gandhi Press Conference Mic Turned Off રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ કહ્યું સદનમાં માઈક બંધ કરાયું, બોલવા ન દીધો’, હવે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ…
Rahul Gandhi Press Conference એન્ટી પેપર લીક બિલ પર ઘમાસાણ રાહુલ ગાંધીએ સંસદ બહાર સરકાર અને PM મોદી પર સાધ્યું નિશાન..
BJP Press Conference On Rahul Gandhi Remarks રાહુલ ગાંધીના આક્ષેપો પર ભાજપનો પલટવાર ‘ગૃહમંત્રી નહીં મેજિસ્ટ્રેટ આદેશ આપે છે’, પક્ષે બંધારણીય મર્યાદાઓનો આપ્યો હવાલો!
Lok Sabha Anti Paper Leak Bill Passed Debate ગૃહમાં ઘમાસાણ અને બિલ પાસ એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ અને સરકાર આમનેસામને!
Exit mobile version