Site icon News Continuous Bureau | Mumbai

રેલવે લગભગ 300 ટ્રેનોમાં પેન્ટ્રી કાર કાઢી નાંખશે.. તેની જગ્યાએ આ સુવિધાઓ વધારવામાં આવશે.. રિપોર્ટ

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
19 ઓક્ટોબર 2020

ભારતીય રેલ્વે હવે પેન્ટ્રી કારોને એસી 3 કોચમાં ફેરવવાની યોજના બનાવી રહ્યું છે કારણ કે તેણે કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે ટ્રેનોમાં ખાવા-પીવાનું પીરસવું બંધ કરી દીધું છે. સંસાધનોનો બગાડ ન થાય તે માટે રેલવે દ્વારા આ પગલું લેવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, રેલવે 300 ટ્રેનની પેન્ટ્રી કારોને એસી થ્રી ટાયર કોચમાં ફેરવશે.

Join Our WhatsApp Channel

પેન્ટ્રી કાર એ ટ્રેનમાં એક વિશેષ કોચ છે જેનો ઉપયોગ મુસાફરો માટે ભોજન તૈયાર કરવા અને પીરસવા માટે કરવામાં આવે છે. આરોગ્યની ચિંતાને કારણે રેલવે દ્વારા કોરોનાવાયરસ રોગચાળાની વચ્ચે ખાસ ટ્રેનોનું સંચાલન ફરી શરૂ કરાયા બાદ પેન્ટ્રી કાર સેવાની સિસ્ટમ બંધ થઈ ગઈ હતી.

પેન્ટ્રી સિસ્ટમ બદલવા માટે, રેલ્વે દરેક મોટા સ્ટેશનોમાં કેટરિંગ માટે આઈઆરસીટીસી આધારિત રસોડું તૈયાર કરી રહ્યું છે, જેના દ્વારા આ ટ્રેનોમાં ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવી કિચન સિસ્ટમમાં મુસાફરોને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનો વિકલ્પ આપવામાં આવશે. રેલ્વે દ્વારા લેવામાં આવેલું આ નવું પગલું વધુ આવક પેદા કરવા અને કેટરિંગ સુવિધાને વધારવાનું સાધન બનશે એ નક્કી છે..

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version