Site icon News Continuous Bureau | Mumbai

રેલવે લગભગ 300 ટ્રેનોમાં પેન્ટ્રી કાર કાઢી નાંખશે.. તેની જગ્યાએ આ સુવિધાઓ વધારવામાં આવશે.. રિપોર્ટ

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
19 ઓક્ટોબર 2020

ભારતીય રેલ્વે હવે પેન્ટ્રી કારોને એસી 3 કોચમાં ફેરવવાની યોજના બનાવી રહ્યું છે કારણ કે તેણે કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે ટ્રેનોમાં ખાવા-પીવાનું પીરસવું બંધ કરી દીધું છે. સંસાધનોનો બગાડ ન થાય તે માટે રેલવે દ્વારા આ પગલું લેવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, રેલવે 300 ટ્રેનની પેન્ટ્રી કારોને એસી થ્રી ટાયર કોચમાં ફેરવશે.

Join Our WhatsApp Channel

પેન્ટ્રી કાર એ ટ્રેનમાં એક વિશેષ કોચ છે જેનો ઉપયોગ મુસાફરો માટે ભોજન તૈયાર કરવા અને પીરસવા માટે કરવામાં આવે છે. આરોગ્યની ચિંતાને કારણે રેલવે દ્વારા કોરોનાવાયરસ રોગચાળાની વચ્ચે ખાસ ટ્રેનોનું સંચાલન ફરી શરૂ કરાયા બાદ પેન્ટ્રી કાર સેવાની સિસ્ટમ બંધ થઈ ગઈ હતી.

પેન્ટ્રી સિસ્ટમ બદલવા માટે, રેલ્વે દરેક મોટા સ્ટેશનોમાં કેટરિંગ માટે આઈઆરસીટીસી આધારિત રસોડું તૈયાર કરી રહ્યું છે, જેના દ્વારા આ ટ્રેનોમાં ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવી કિચન સિસ્ટમમાં મુસાફરોને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનો વિકલ્પ આપવામાં આવશે. રેલ્વે દ્વારા લેવામાં આવેલું આ નવું પગલું વધુ આવક પેદા કરવા અને કેટરિંગ સુવિધાને વધારવાનું સાધન બનશે એ નક્કી છે..

ED Raid Punjab Minister| પંજાબના મંત્રી પર EDની તવાઈ! સવાર સવારમાં જ પહોંચી ટીમ, ભગવંત માનનો પલટવાર ‘આ રાજકીય બદલો છે’
New CDS of India 2026। દેશને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ સંભાળશે કમાન, જાણો કેવું રહ્યું તેમનું કરિયર
Tamil Nadu Government Crisis| તમિલનાડુમાં હાઈવોલ્ટેજ ડ્રામા સત્તાની નજીક પહોંચીને રહી ગયા અભિનેતા વિજય, જાણો કેવી રીતે અટકી ગઈ મુખ્યમંત્રીની ખુરશી
West Bengal New CM 2026। પશ્ચિમ બંગાળમાં નવો યુગ! મમતાના ગઢમાં ગાબડું પાડનાર શુભેન્દુ અધિકારી લેશે CM તરીકે શપથ, જાણો તેમનું રાજકીય કદ
Exit mobile version