Site icon

રેલવેની ટ્રેનો સમયસર દોડે એ માટે આખા દેશમાં હવે આ સુવિધા બંધ કરવામાં આવશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતીય રેલવે દેશના ખૂણેખાંચરે ફેલાયેલી છે. એમ તો રેલવે વખાણવાલાયક સેવા-સુવિધા પ્રવાસીઓને આપે છે, પરંતુ મોટા ભાગે ભારતીય રેલવેની ટ્રેનો એના નિયત સમય કરતાં મોડી હોવા માટે જાણીતી છે. જોકે હવે રેલવે પોતાના માથા પર રહેલા લેટ લતીફના લેબલને દૂર કરવા માટે કમર કસી છે. જે હેઠળ અનેક ટેક્નિકલ, ફિઝિકલ બાબતોમાં સુધારો કરવાની છે. તેમ જ નવું ટાઇમ ટેબલ પણ તૈયાર કરી રહી છે.

નવા ટાઇમ ટેબલ મુજબ ટ્રેન દોડાવવા માટે લિંક એક્સપ્રેસ અને સ્લીપ કોચના સંચાલનની સંખ્યામાં ઘટાડો કરવામાં  આવવાનો છે. એને કારણે કોઈ પણ ટ્રેનમાં વધારાના કોચ જોડવા અથવા કોચ ઘટાવાની જરૂર પડશે નહીં. કોચ જોડવા અને ઘટાડવામાં સમય વેડફાય છે અને પાછળની ટ્રેનો પણ એને કારણે મોડી પડતી હોય છે, પરંતુ  હવે એ બંધ કરવાથી સમયની બચત થશે અને ટ્રેન સયમસર દોડાવવામાં મદદ મળશે. ઉત્તર રેલવેએ પોતાની આઠ ટ્રેનોમાં આ સુવિધા ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

રેલવેએ હવે નવા ટાઇમ ટેબલને અમલમાં મૂકવાની તૈયારી કરી છે. છેલ્લાં અમુક વર્ષોથી ઑક્ટોબરમાં નવું ટાઇમ ટેબલ આવતું હોય છે, પરંતુ કોરોનાને પગલે હાલ સ્પેશિયલ ટ્રેનો જ દોડી રહી છે. એથી ગયા વર્ષે નવું ટાઇમ ટેબલ જાહેર થયું નહોતું. જોકે આ વર્ષે ઑક્ટોબરમાં જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. અનેક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવવાની છે એથી એના ઑપરેટિંગ સમયમાં પણ ફેરફાર થશે. અમુક ટ્રેનોની ફેરી વધારવામાં આવશે. એની સાથે જ ઑપરેટિંગ વ્યવસ્થિત રીતે થાય એ માટે અમુક રૂટ પર લિંક એક્સપ્રેસ બંધ કરવાની તૈયારી છે.

ટાઇમ મેગેઝિને 100 પ્રભાવશાળી લોકોની સૂચિ બહાર પાડી, પીએમ મોદી ઉપરાંત ભારતના આ રાજ્યના મુખ્યમંત્રીને મળ્યું સ્થાન; જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે લિંક એક્સપ્રેસમાં અલગ અલગ સ્થળોથી આવનારી બે ટ્રેનને કોઈ પણ એક સ્ટેશન પર આપસમાં જોડી દેવામાં આવે છે. ત્યાર બાદ બંને ટ્રેનનું એકમાં રૂપાંતર થયા બાદ એ આગળના સ્ટેશન પર રવાના થાય છે, તો સ્લીપ કોચમાં કોઈ ટ્રેનના અમુક કોચ કોઈ સ્ટેશન પર અલગ કરી દેવામાં આવે છે. ત્યાર બાદ એ ટ્રેનને આગળ દોડાવવામાં આવે છે.

Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન
IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
Fuel Crisis Rumors in UP: યુપીમાં કેમ ખાલી થઈ રહ્યા છે પેટ્રોલ પંપો? અછતની અફવા ફેલાતા જ લોકોમાં ફફડાટ, ડ્રમ ભરીને તેલ લઈ જતા લોકોના વીડિયો વાયરલ.
Exit mobile version