Site icon News Continuous Bureau | Mumbai

Raj Kapoor: રાજ કપૂરની શતાબ્દી ઉજવણી!! કપૂર પરિવારે PM મોદી સાથે કરી મુલાકાત, આ ફિલ્મ ફેસ્ટિવલ માટે આપ્યું આમંત્રણ…

Raj Kapoor: સુપ્રસિદ્ધ રાજ કપૂરની શતાબ્દી ઉજવણીના આગામી અવસર પર કપૂર પરિવાર સાથે વાતચીતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી. રાજ કપૂરે એવા સમયે ભારતનાં સોફ્ટ પાવરની સ્થાપના કરી હતી જ્યારે આ શબ્દ પોતે જ બનાવવામાં આવ્યો ન હતો: પીએમ. મધ્ય એશિયામાં ભારતીય સિનેમાની વિશાળ સંભાવના છે, તેને ટેપ કરવાની દિશામાં કામ કરવાની જરૂર છે, મધ્ય એશિયામાં નવી પેઢીઓ સુધી પહોંચવા માટે પ્રયત્નો કરવા જોઈએ: પીએમ

Raj Kapoor Centenary Celebration!! Kapoor family met PM Modi, invited for this film festival…

Raj Kapoor Centenary Celebration!! Kapoor family met PM Modi, invited for this film festival…

News Continuous Bureau | Mumbai 

Raj Kapoor:  સુપ્રસિદ્ધ રાજ કપૂરના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે કપૂર પરિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હૃદયદ્રાવક વાતચીત કરી હતી. આ વિશેષ બેઠકમાં રાજ કપૂરના ભારતીય સિનેમામાં અપ્રતિમ યોગદાન અને તેમના કાયમી વારસાનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કપૂર પરિવાર સાથે નિખાલસ વાતચીત કરી હતી. 

Join Our WhatsApp Channel

રાજ કપૂરની પુત્રી રીમા કપૂરે રાજ કપૂરના શતાબ્દી સમારોહના આગામી પ્રસંગે કપૂર પરિવારને મળવા માટે પોતાનો કિંમતી સમય ફાળવવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. સુશ્રી કપૂરે રાજ કપૂરની ફિલ્મના એક ગીતની કેટલીક પંક્તિઓ વાંચી હતી અને કહ્યું હતું કે કપૂર પરિવારને તેમની મુલાકાત દરમિયાન PM મોદીએ જે પ્રેમ, હૂંફ અને આદર આપ્યો છે તેનું સમગ્ર ભારત સાક્ષી બનશે. રાજ કપૂરના આ મહાન યોગદાનને બિરદાવતાં પ્રધાનમંત્રીએ કપૂર પરિવારને આવકાર્યો હતો.

PM મોદીએ જણાવ્યું હતું કે, રાજ કપૂરની ( Raj Kapoor centenary Celeberation ) 100મી જન્મજયંતીની ઉજવણી ભારતીય ફિલ્મ ઉદ્યોગની સુવર્ણ સફરની ગાથાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું હતું કે ફિલ્મ ‘નીલ કમલ’ 1947માં બનાવવામાં આવી હતી અને હવે આપણે 2047 તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અને આ 100 વર્ષ દરમિયાન ફાળો મહત્વપૂર્ણ હતો. મુત્સદ્દીગીરીના સંદર્ભમાં વપરાતા ‘સોફ્ટ પાવર’ શબ્દનો ઉલ્લેખ કરતાં PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ કપૂરે એવા સમયે ભારતનાં સોફ્ટ પાવરની સ્થાપના કરી હતી, જ્યારે આ શબ્દ પોતે જ પ્રચલિત નહોતો. તેમણે ઉમેર્યું હતું કે, ભારતની સેવામાં રાજ કપૂરનું આ બહુ મોટું પ્રદાન છે.

પ્રધાનમંત્રીએ કપૂર પરિવારને ( Kapoor Family ) વિનંતી કરી હતી કે, તેઓ રાજ કપૂર વિશે એક ફિલ્મ બનાવે, ખાસ કરીને મધ્ય એશિયાને સંબંધિત ફિલ્મ બનાવે, જેઓ આટલા વર્ષો પછી પણ ત્યાંના લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ કપૂરની તેમના જીવન પર અસર પડી હતી. PM મોદીએ પરિવારને એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, મધ્ય એશિયામાં ભારતીય સિનેમા માટે પ્રચૂર શક્યતા છે અને તેનો લાભ ઉઠાવવા કામ કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે મધ્ય એશિયાની નવી પેઢી સુધી તેને પહોંચે તે માટે પ્રયાસો કરવા જોઈએ અને પરિવારને એક એવી ફિલ્મ બનાવવા વિનંતી કરી હતી જે એક કડી તરીકે કામ કરે.

વિશ્વભરમાંથી મળેલા પ્રેમ અને ખ્યાતિનો સ્વીકાર કરતા સુશ્રી રીમા કપૂરે જણાવ્યું હતું કે રાજ કપૂરને ( Raj kapoor Birth Anniversary ) ‘સાંસ્કૃતિક રાજદૂત’ કહી શકાય અને તેમણે ભારતના ‘ગ્લોબલ એમ્બેસેડર’ બનવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી અને સમગ્ર કપૂર પરિવારને પ્રધાનમંત્રી પર ગર્વ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે દેશની પ્રતિષ્ઠા ખૂબ જ ઊંચી છે અને તેમણે યોગને ઉદાહરણ તરીકે ટાંક્યું હતું, જેની સમગ્ર દુનિયામાં ચર્ચા થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમણે અન્ય દેશોનાં નેતાઓ સાથે તેમની બેઠક દરમિયાન યોગ અને તેનાં મહત્ત્વ વિશે ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સંશોધન એક રસપ્રદ પ્રવૃત્તિ છે, જે વ્યક્તિને શીખવાની પ્રક્રિયાનો આનંદ માણવા દે છે. તેમણે શ્રી રાજ કપૂરના ( Raj Kapoor Film Festival )  પૌત્ર શ્રી અરમાન જૈનને રાજ કપૂર વિશે સંશોધન બાદ એક ફિલ્મ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, જેના કારણે તેમને દાદાની જીવનયાત્રા જીવવાની તક મળી હતી.

આ સમાચાર પણ વાંચો : Rajinikanth birthday: સુપરસ્ટાર રજનીકાંત ના જન્મદિવસ પર તેમના એક ફેન એ કર્યું એવું કામ કે દરેક જગ્યા એ થઇ રહી છે તેની ચર્ચા, જુઓ વિડીયો

સિનેમાની ( Indian Cinema ) શક્તિને યાદ કરીને PM મોદીએ એક ઘટનાનું ઉદાહરણ આપ્યું હતું, જ્યારે અગાઉની જનસંઘની પાર્ટી દિલ્હીમાં ચૂંટણી હારી ગઈ હતી. ત્યારબાદ નેતાઓએ રાજ કપૂરની ફિલ્મ ‘ફિર સુબહ હોગી’ જોવાનું નક્કી કર્યું. તેમણે ઉમેર્યું કે પાર્ટીએ હવે ફરીથી સવાર જોઈ છે. શ્રી મોદીએ એક ઘટનાને પણ યાદ કરી હતી, જ્યારે તેમણે શ્રી ઋષિ કપૂરને ચીનમાં વાગી રહેલા ગીતનું રેકોર્ડિંગ મોકલ્યું હતું, જેના માટે શ્રી ઋષિ કપૂરને અભિનંદન આપ્યા હતા.

રણબીર કપૂરે ( Ranbir Kapoor ) પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી કે, કપૂર પરિવાર 13, 14 અને 15 ડિસેમ્બર, 2024નાં રોજ રાજ કપૂરની રેટ્રોસ્પેક્ટિવ કરી રહ્યો છે. તેમણે મદદ કરવા બદલ ભારત સરકાર, એનએફડીસી અને એનએફએઆઈનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પરિવારે તેમની 10 ફિલ્મો આપી હતી અને તેમના ઓડિયો અને વિઝ્યુઅલને પુન:સ્થાપિત કર્યા હતા, જે સમગ્ર ભારતના લગભગ 40 શહેરોમાં 160 થિયેટરોમાં પ્રદર્શિત કરવામાં આવશે. શ્રી કપૂરે પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી કે પ્રીમિયર શો 13મી ડિસેમ્બરનાં રોજ મુંબઈમાં યોજાશે તથા તેમણે સંપૂર્ણ ફિલ્મ ઉદ્યોગને આમંત્રણ આપ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
Exit mobile version