ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 સપ્ટેમ્બર 2020
ચાલુ સપ્તાહમાં બીજી વખત રાજનાથ સિંહ ચીન મામલે સંસદમાં બોલ્યા. રાજ્યસભામાં આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે ભારતની સેના ચીનની કોઈ પણ કાર્યવાહી નો જવાબ આપવા માટે તૈયાર છે. રાજનાથ સિંહે આરોપ લગાવ્યો હતો કે ચીન દ્વિપક્ષીય સમજોતા નું ઉલ્લંઘન કરી રહ્યું છે.
પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે ભારતીય સેનાએ સંયમ જાળવી રાખ્યો છે પરંતુ ભારતની અખંડિતતા માટે તેના પોતાનું શૌર્ય દેખાડવા તૈયાર છે. વધુમાં તેમણે જણાવ્યું કે ચીન ભારત સાથે કોઈ પણ સરહદ માનવા તૈયાર નથી. આથી વિવાદ લાંબો ચાલ્યો છે.
