Site icon News Continuous Bureau | Mumbai

Rajya Sabha Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિ-રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ઘનખર સામે વિપક્ષે ચડાવી બાયો, અધ્યક્ષ વિરુદ્ધ લાવવામાં આવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ, આપી નોટિસ

Rajya Sabha Jagdeep Dhankhar : સંસદનું શિયાળુ સત્ર ચાલુ છે. મંગળવારે સંસદના બંને ગૃહોની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે આ પહેલા વિપક્ષે રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વાસ્તવમાં, રાજ્યસભાના અધ્યક્ષની કામગીરીથી નારાજ વિપક્ષે અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રસ્તાવમાં સ્પીકર પર ગૃહમાં પક્ષપાતી કામગીરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ માટે વિપક્ષે કલમ 67(B) હેઠળ ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

News Continuous Bureau | Mumbai

Rajya Sabha Jagdeep Dhankhar : સંસદના  શિયાળુ સત્રમાં ઈન્ડિયા એલાયન્સે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. રાજ્યસભાના અધ્યક્ષની કામગીરીથી નારાજ વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે. આ પ્રસ્તાવમાં સ્પીકર પર ગૃહમાં પક્ષપાતી કામગીરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિપક્ષે કલમ 67(B) હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. 

Join Our WhatsApp Channel

કોંગ્રેસ પાર્ટીએ પહેલા જ દાવો કર્યો હતો કે તેમની પાસે અવિશ્વાસ પ્રસ્તાવ માટે જરૂરી સંખ્યા છે. લગભગ 70 સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અન્ય ઘણી નાની પાર્ટીઓ આ પ્રસ્તાવ પર એક થઈ ગઈ છે.

Rajya Sabha Jagdeep Dhankhar : વિપક્ષમાં અધ્યક્ષ સામે અસંતોષ

ઓગસ્ટમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પણ વિપક્ષે સ્પીકર વિરુદ્ધ હસ્તાક્ષર અભિયાન ચલાવ્યું હતું. પરંતુ તે સમયે કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે ઈન્ડિયા બ્લોકના ઘણા નેતાઓએ અધ્યક્ષ જગદીપ ધનખર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ સિવાય વિપક્ષ તેમના પર પક્ષપાતી વલણ દાખવવાનો આરોપ લગાવી રહ્યો છે. આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી 11 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : One Nation One Election Bill: સંસદમાં વન નેશન-વન ઈલેક્શનની તૈયારીઓ તેજ, ​​સરકાર આ સત્રમાં રજૂ કરી શકે છે બિલ…

Rajya Sabha Jagdeep Dhankhar : TMC અને SP એક સાથે જોડાયા

આ પહેલા વિપક્ષે દાવો કર્યો હતો કે અવિશ્વાસ પ્રસ્તાવ પર લગભગ 70 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. તેમાં ભારતના તમામ પક્ષો હાજર હતા. મળતી માહિતી મુજબ કોંગ્રેસથી દૂર ચાલી રહેલી તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ પણ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આ બંને પક્ષોના રાજ્યસભા સભ્યોએ પણ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે.

Rajya Sabha Jagdeep Dhankhar : કોંગ્રેસે કર્યા આ આક્ષેપો  

તે જ સમયે, કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, “વિપક્ષ સતત સદન ચલાવવાની માંગ કરી રહ્યો છે, પરંતુ અધ્યક્ષ ધનખર શાસક પક્ષને સદનમાં મડાગાંઠ સર્જવાની તક આપી રહ્યા હતા. આસનનું આ પક્ષપાતી વલણ લોકશાહીની વિરુદ્ધ છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું હતું કે આવું કરીને લોકશાહીની હત્યા ન કરવી જોઈએ.

 

Ludhiana Railway Accident મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? લુધિયાણામાં મુસાફરી ટ્રેનના ડબ્બામાંથી ટોયલેટનો ભાગ જ ઉખડીને નીચે પડ્યો! જુઓ વિડીયો
Bullet Train Corridor દિલ્હીથી સિલિગુડી માત્ર ૬ કલાકમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુપી, બિહાર અને બંગાળને જોડતા નવા બુલેટ ટ્રેન કોરિડોરની કરી જાહેરાત
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
RBI SGB New Tranche Closed 2026 સોનાના રોકાણકારોને મોટો ઝટકો, સરકારે બમ્પર કમાણી કરાવતી આ ગોલ્ડ સ્કીમ હંમેશા માટે બંધ કરી;
Exit mobile version