Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન મોદીની કૃષિ કાયદો રદ કરવાની જાહેરાત બાદ ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતેએ કહી દીધી આ મોટી વાત. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 19 નવેમ્બર  2021 
શુક્રવાર.  

લાંબા સમયથી દેશના ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. તેમની લડાઈનો છેવટે વિજય થયો છે. ત્રણે કૃષિ કાયદો પાછો ખેંચવાની  માગણી સાથે દિલ્હીની સરહદ પર તંબુ તાણીને બેઠેલા ખેડૂતો સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝુકવું પડયું છે. શુક્રવારે કાર્તિકી પૂર્ણિમા અને ગુરુ નાનક જયંતિ અવસરે મોદીએ ત્રણે કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી છે. જોકે આ આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આંદોલન પાછું ખેચવામાં આવશે નહીં. જયાં સુધી સંસદમાં કાયદો રદ થશે નહીં ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન ચાલુ જ રહેશે. 

Join Our WhatsApp Channel

મોટા સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી, તમામ ખેડૂતોની માફી માંગી

મોદીની જાહેરાત બાદ જ તુરંત ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ટ્વીટ કરતા કહ્યું હતું કે આંદોલન તાત્કાલિક પાછું ખેંચશુ નહીં. અમે એ દિવસની રાહ જોઈ રહ્યા છે, જે દિવસે  સંસદમાં કૃષિ કાયદો રદ કરવામાં આવશે. તેમ જ સરકાર MPS સહિત ખેડૂતોના અન્ય મુદ્દા પર ચર્ચા કરશે.

Advanced GNSS Jammers ભારતીય નેવીની તાકાતમાં વધારો, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આધુનિક Advanced GNSS Jammers માટે કર્યો મોટો કરાર.
CongressTMC Merger Offer કોંગ્રેસTMC વિલયની ઓફર સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને આપી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની મોટી ઓફર
The Hidden Cost Of The West Asia War પશ્ચિમ એશિયાના યુદ્ધની ભારત પર છુપી અસર સબસિડીનું ભારણ વધતા સરકારની ચિંતા વધી..
PM Modi’s Global Influence ભારતની બદલાતી તસવીર, મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વધ્યો દેશનો દબદબો; સાઉદી અરેબિયાથી લઈને ફ્રાન્સ સુધી ગુંજ્યું મોદીનું નામ.
Exit mobile version