જાણીતા વકીલ રામ જેઠમલાણી ના દીકરા મહેશ જેઠમલાણીને રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.
દિવંગત સાંસદ રઘુનાથ મોહપાત્રાના ખાલી પદ પર મહેશ જેઠમલાણી ની વરણી કરવામાં આવી છે. જેમનું ગત મહિને કોરોનાને કારણે નિધન થયું હતું.
રાજ્યસભાના સાંસદ તરીકે જેઠમલાણીનો કાર્યકાળ મે 2024 સુધી ચાલશે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ કેબિનેટના સૂચન પર રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરી શકે છે. આ લોકો સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કળા અને સમાજ સેવા જેવા ક્ષેત્રોની મોટી હસ્તીઓ હોય છે.
આજથી ફરજિયાત થતા હોલમાર્કિંગના નિયમ સામે બૉમ્બે હાઈ કોર્ટે જ્વેલર્સોને આપી આ રાહત; જાણો વિગત
