Site icon News Continuous Bureau | Mumbai

Ram Mandir Inauguration: અયોધ્યા રામ મંદિર ના ઉદઘાટન પ્રસંગે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર નહીં રહે. આ છે કારણ.

Ram Mandir Inauguration: અયોધ્યા ખાતે રામ મંદિરના ઉદઘાટન ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી આ કાર્યક્રમમાં હાજર નહીં રહી શકે.

Ram Mandir Inauguration Advani, Murli Manohar Joshi requested ‘not to attend’ Ram Temple consecration

Ram Mandir Inauguration Advani, Murli Manohar Joshi requested ‘not to attend’ Ram Temple consecration

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Inauguration: અયોધ્યા ( Ayodhya ) ખાતે ઐતિહાસિક દિવસ નોંધાવા જઈ રહ્યો છે ત્યારે રામ મંદિરના ઉદઘાટન પ્રસંગે કેટલા લોકો, તેમજ કોણ કોણ હાજર રહેશે તે સંદર્ભે ચર્ચા થઈ રહી છે. આ પ્રસંગે લાલ કૃષ્ણ અડવાણી ( Lal Krishna Advani ) તેમજ મુરલી મનોહર જોશી ( Murli Manohar Joshi ) કે જેઓ રામ મંદિર આંદોલન ના મુખ્ય કર્તા-હર્તા હતા તેઓ હાજર રહેશે કે નહીં આ બાબતે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

Join Our WhatsApp Channel

આ કારણથી લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર નહીં રહી શકે.

લાલ કૃષ્ણ અડવાણી ની ઉંમર 96 વર્ષની થઈ છે. તેમજ મુરલી મનોહર જોશી ની ઉંમર 90 વર્ષની છે. આથી આ બંને નેતાના પરિવારજનોએ નિર્ણય લીધો છે કે વધતી ઉંમર તેમજ તેની સાથે જોડાયેલી શારીરિક વ્યાધીઓના ( physical diseases ) કારણે રામ મંદિરના ઉદઘાટન ( Temple inauguration ) સમારંભમાં તેઓ હાજર નહીં રહે.

આ સમાચાર પણ વાંચો : Tamil Nadu rain: તમિલનાડુમાં વરસાદનો કહેર યથાવત, ચાર લોકોના મૃત્યુ તેમજ હજારો લોકો અટવાયા.

રામ મંદિરના ટ્રસ્ટી ચંપત રાયે ( Champat Rai ) આ માહિતી આપી.

મીડિયા સાથે વાતચીત દરમિયાન ચંપત રાય એ જણાવ્યું હતું કે મંદિરના ઉદઘાટન પ્રસંગે દેશના અનેક માન્યવરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં સીને સૃષ્ટિ સાથે જોડાયેલા કલાકારો, ઉદ્યોગપતિઓ, અનેક નેતાઓ, ધાર્મિક સંપ્રદાયના વડાઓ સામેલ છે. આ પ્રસંગે જ્યારે મુરલી મનોહર જોશી અને લાલ કૃષ્ણ અડવાણી સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પ્રત્યુતર આપ્યો હતો કે વધતી ઉંમરને કારણે શક્ય છે કે તેઓ હાજર ન રહી શકે.

Operation Sindoor Pakistan Ceasefire Secrets Revealed તાબડતોબ હુમલાઓ વચ્ચે સીઝફાયર માટે આજીજી રહ્યું હતું પાકિસ્તાન, ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને થયા મોટા ખુલાસા
Mark Zuckerberg Apologizes India માર્ક ઝુકરબર્ગે માંગી માફી.. આ મામલે કેન્દ્ર સરકાર સામે ઝૂકી મેટા કંપની
Rahul Gandhi Raises Pellet Gun Issue Parliament સંસદમાં રાહુલ ગાંધીએ ઉછાળ્યો પેલેટ ગનનો મુદ્દો ગૃહમંત્રી અને વડાપ્રધાનની હાજરીની માંગ સાથે વિપક્ષ આક્રમક
New Tax Reform Bill 2026 Lok Sabha નાણામંત્રીનું મોટું પગલું લોકસભામાં ટેક્સ રિફોર્મ બિલ ૨૦૨૬ રજૂ, દેશના આ ઉદ્યોગોને મળશે મોટી રાહત..
Exit mobile version