Site icon News Continuous Bureau | Mumbai

રામલ્લા પણ ભરશે ટેક્સ, મંદીર બનાવવા મળેલા દાન પર ટેક્સ છે આટલા કરોડ રુપીયા. જાણો વિગત….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

04 સપ્ટેમ્બર 2020

છ સદી બાદ અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. મંદિરની સાથે જ  અન્ય સ્થળો પર નિર્માણ કાર્ય થવાનું છે. તેમજ ટ્રસ્ટ તરફથી રજૂ કરાયેલ નક્શાને વિકાસ પ્રાધીકરણની મંજૂરી મળી ગઈ છે. આ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી 2 કરોડ 11 લાખથી વધુનો ટેક્સ આપવામાં આવશે.. વિકાસ સત્તા મંડળે બોર્ડ બેઠકમાં 2 લાખ 74 હજાર ચોરસ ફૂટ ખુલ્લા વિસ્તાર અને 12 હજાર 879 ચોરસ ફૂટ વિસ્તારનો નકશો પાસ કરી દીધો છે. આ સાથે રામ મંદિરના નિર્માણ માટે, ધાર્મિક સંસ્થાઓના નિર્માણ અધિનિયમ 1961 (80 G) હેઠળ ડેવલપમેન્ટ હેઠન ફી માં મળતી 65 ટકા ની છૂટ પણ આપવામાં આવી છે.

અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ નિર્માણની મંજૂરી મળ્યા પછી રામ મંદિરના પાયાના કામો ખૂબ ઝડપી ગતિએ થવાની ધારણા છે. સૂત્રોનું કહેવું છે કે, રામ મંદિર નિર્માણ માટે પાયો ખોદવાનું કામ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. બાંધકામના કામમાં વપરાતા લગભગ તમામ મશીનો પરિસરની અંદર આવી ગયા છે…

ઉલ્લેખનીય છે કે, પરિસરની અંદર આવેલા અને નિર્માણ કાર્યમાં વચ્ચે નડતા પ્રાચીન મંદિરોને તોડવામાં આવી રહ્યા છે, જે જર્જરિત હાલતમાં છે અથવા ખંડેર બની ગયા છે. રામ મંદિરનો પાયો આશરે 200 ફુટ ઊંડો હશે અને આ માટે અનેક પ્રકારની મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. રામ જન્મભૂમિ ટ્રસ્ટ ના જણાવ્યા મુજબ , રામ મંદિરના નિર્માણ માટે કામ કરતી એજન્સી, L&Tના ઘણાં કામદારો અને શ્રમિકો પહેલાથી જ અહીં હાજર છે, બાંધકામનું કામ  શરૂ થવાની સાથે જ જો જરૂર પડે તો મજૂરોની સંખ્યામાં વધારો થઈ શકે છે….

Sanjeev Arora Arrested ED। પંજાબના મંત્રી સંજીવ અરોરા જેલના હવાલે! EDએ ૭ કલાકના દરોડા બાદ કરી ધરપકડ, ‘આપ’માં ખળભળાટ
Suvendu Adhikari West Bengal CM| બંગાળમાં નવા યુગની શરૂઆત શુભેન્દુ અધિકારીએ લીધા CM પદના શપથ; PM મોદીએ સ્ટેજ પરથી જનતાને કર્યા ‘દંડવત પ્રણામ’
ED Raid Punjab Minister| પંજાબના મંત્રી પર EDની તવાઈ! સવાર સવારમાં જ પહોંચી ટીમ, ભગવંત માનનો પલટવાર ‘આ રાજકીય બદલો છે’
New CDS of India 2026। દેશને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ સંભાળશે કમાન, જાણો કેવું રહ્યું તેમનું કરિયર
Exit mobile version