ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
28 જુલાઈ 2020
'રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' હવે સોના-ચાંદીની ઈંટો વગેરેનું દાન નહીં સ્વીકારે.. ટ્રસ્ટના મહાસચિવે દાતાઓને અપીલ કરી છે કે, "ભક્તો સોના-ચાંદી તેમજ અન્ય ધાતુઓની ઈંટો દાન માટે લઈને ન આવે. તેના બદલે ટ્રસ્ટના ખાતામાં રોકડાં રૂપિયા જમા કરાવે."
અત્યાર સુધીમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ ને 1 ક્વિંટલથી વધુ કિંમતની સોના ચાંદીની ઈંટ દાનમાં મળી ચુકી છે. આ બધાની કિંમતનો અંદાજો લગાવવો મુશ્કેલ બની રહ્યું છે. ઉપરાંત તેને રાખવા માટે બેંકમાં લોકર પણ નથી. આથી ટ્રસ્ટ એ બધા દાતાઓને અપીલ કરવી પડી છે કે તે "દાનને ઓનલાઈન અથવા કેશમાં ટ્રસ્ટના ખાતામાં જમા કરાવે."
ઉલ્લેખનીય છે કે 5 મી ઓગસ્ટએ વડાપ્રધાન ભૂમિ પૂજન કરવા અયોધ્યા આવવાનાં છે. જેનો સમય 12.15 મિનિટ અને 32 સેકન્ડનો રહેશે. આ દરમિયાન પીએમ રામ મંદિરની આધારશીલા પણ રાખશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com