News Continuous Bureau | Mumbai
આખરે રામ ભક્તોની આતુરતાનો અંત આવી રહ્યો છે. અયોધ્યા ખાતે આવેલા શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય આગામી બે વર્ષે મકરસંક્રાંતિ સુધીમાં પતી જવાની અપેક્ષા છે.
હાલ ટાટા અને એલ એન્ડ ટી જેવી મોટી કંપનીઓ રામ મંદિર નિર્માણના કામમાં પોતાની ભૂમિકા નિભાવી રહી છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ ની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલા કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. જે સમાચારો પ્રાપ્ત થયા છે તે મુજબ ૨૦૨૪ મકરસંક્રાંતિ સુધીમાં મંદિરનું બાંધકામ થઈ જશે અને લોકો ભવ્ય મંદિરમાં દર્શન કરી શકશે.
