Site icon News Continuous Bureau | Mumbai

લોકસભાની કાર્યવાહી ખતમ થયા બાદ ઓમ બિરલાએ પીએમ મોદી, અમિત શાહ સહિત આ નેતાઓ સાથે યોજી બેઠક ; બેઠકમાં અધ્યક્ષે નેતાઓને કર્યો આ આગ્રહ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

લોકસભાના કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ બેઠક કરી હતી. 

આ બેઠકમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રસ સાંસદ અધીર રંજન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. 

આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ, અકાલી દળ, વાયએસઆરસીપી, બીજુ જનતા દળ સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓ પણ સ્પીકર બિરલાને મળવા પહોંચ્યા હતા.

લોકસભા અધ્યક્ષે બધા દળોના નેતાઓને આગ્રહ કર્યો કે ભવિષ્યમાં ગૃહમાં ચર્ચા અને સંવાદને પ્રોત્સાહિત કરે. તેમણે જણાવ્યું હતું કે ચર્ચા અને સંવાદથી જ જનકલ્યાણ થશે. તેના દ્વારા પ્રજાની તકલીફો દૂર થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે પેગાસસ જાસૂસી કાંડ, તરમ કેન્દ્રીય કૃષિ કાયદાને પરત લેવાની માંગ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષી દળોના શોરબકોરના કારણે માત્ર 22 ટકા જ કામ થયું હતું.

શું દેશમાં ઑક્સિજનની અછતને કારણે કોઈ કોરોના દર્દીનું મૃત્યુ થયું? 13 રાજ્યોએ કેન્દ્રને રિપૉર્ટ મોકલ્યો, માત્ર આ એક રાજ્યે ઑક્સિજનની અછતને કારણે શંકાસ્પદ મૃત્યુની બાબત સ્વીકારી; જાણો વિગતે

Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
NEET Paper Leak। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા પીવી કુલકર્ણી પર યોગી સ્ટાઇલ એક્શન; બંગલા પર બુલડોઝર ફરતાં મચી અફરાતફરી
Exit mobile version