Site icon News Continuous Bureau | Mumbai

Ratan Tata Love Story: એક નહીં 4-4 વાર થયો પ્રેમ, તો પણ કુંવારા રહ્યા ઉદ્યોગ જગતના બેતાજ બાદશાહ રતન ટાટા; જાણો શું હતું કારણ…

Ratan Tata Love Story: રતન ટાટાએ દુનિયાને અલવિદા કહી દીધું છે, પરંતુ તેઓ હંમેશા દેશવાસીઓના દિલમાં રાજ કરશે. તેઓ એક મોટા ઉદ્યોગપતિ હતા, બિઝનેસની સાથે તેમણે દેશ પ્રત્યેની પોતાની જવાબદારીઓ પણ ખૂબ સારી રીતે નિભાવી હતી. પરંતુ રતન ટાટાએ તેમનું આખું જીવન એકલા વિતાવ્યું, ક્યારેય લગ્ન કર્યા નહીં

Ratan Tata Love Story Ratan Tata’s Untold Love Story, A Life Without Marriage, But Not Without Love

Ratan Tata Love Story Ratan Tata’s Untold Love Story, A Life Without Marriage, But Not Without Love

News Continuous Bureau | Mumbai

Ratan Tata Love Story: રતન ટાટા…આજે દરેકના હોઠ પર આ જ નામ છે. તેનું કારણ પણ માન્ય છે. આજે ભારતે તેનું એક ‘રતન’ ગુમાવી છે, જેની ભરપાઈ કરવામાં ઘણી પેઢીઓ લાગી જશે.  પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ભારતના મહાન ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટા ચાર વખત પ્રેમમાં પડ્યા, પરંતુ લગ્ન ન કર્યા. બુધવારે રાત્રે 86 વર્ષની વયે તેમનું અવસાન થયું. બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો થતાં, તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટાએ બિઝનેસ અને પરોપકારની દુનિયામાં અજોડ વારસો છોડી દીધો છે. તેઓ તેમના સમગ્ર જીવન દરમિયાન તેમની ગ્રૂપ કંપનીઓ અને દેશને સમર્પિત રહ્યા અને દેશમાં બિઝનેસ વાતાવરણને આગળ વધારવામાં હંમેશા અગ્રણી ભૂમિકા ભજવી. રતન ટાટાએ તેમનું આખું જીવન એકલા વિતાવ્યું, ક્યારેય લગ્ન કર્યા નહીં, પરંતુ એવું નથી કે તેઓ ક્યારેય કોઈ છોકરીના પ્રેમમાં પડ્યા નથી. તેઓ પ્રેમમાં પડ્યા અને લગ્નની વાત પણ કરી, પરંતુ પછી કંઈક એવું બન્યું કે તેઓએ ક્યારેય લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો. 

Join Our WhatsApp Channel

Ratan Tata Love Story: દરેક વખતે વાત લગ્ન સુધી પહોંચી પણ વાત ના બની 

CNN સાથેના જૂના ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ તેમની લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો કે તેઓ ચાર વખત પ્રેમમાં પડ્યા હતા અને દરેક વખતે વાત લગ્ન સુધી પહોંચી પણ વાત ના બની. જો કે, સંજોગોએ તેમને હંમેશા પીછેહઠ કરવાની ફરજ પાડી. તેમણે એ સમયને યાદ કર્યો જ્યારે તેઓ અમેરિકામાં હતા ત્યારે તેઓ કોઈની સાથે લગ્ન કરવાના હતા, પરંતુ 1962ના ભારત-ચીન સંઘર્ષે બધું બદલી નાખ્યું.

આ સમાચાર પણ વાંચો: Ratan Tata Death: ઓમ શાંતિ: ભારતના અનમોલ ‘રતન’ ટાટાનું નિધન, આજે મહારાષ્ટ્રના તમામ સરકારી કાર્યક્રમો રદ્દ; અહીં કરવામાં આવશે અંતિમ સંસ્કાર..

 તે ઈન્ટરવ્યુમાં ટાટાએ કહ્યું હતું કે, “કદાચ તે સૌથી ગંભીર બાબત હતી જે હું અમેરિકામાં કામ કરતો હતો ત્યારે થઈ હતી. મારુ લગ્ન ન કર્યાનું એકમાત્ર કારણ એ હતું કે હું ભારત પાછો આવ્યો અને તેને પણ મારી પાછળ આવવાનું હતું. પરંતુ તે ભારત-ચીન સંઘર્ષનું વર્ષ હતું. તે આવી નહીં અને અમેરિકામાં બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા.”

Ratan Tata Love Story:  સિમી ગ્રેવાલ સાથે રતન ટાટાનો સંબંધ

અભિનેત્રી અને ટોક શોની હોસ્ટ સિમી ગ્રેવાલે પણ 2011માં મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં રતન ટાટાને ડેટ કર્યા હોવાનો સ્વીકાર કર્યો હતો. ટાટાનું વર્ણન કરતાં, તેણીએ કહ્યું, “તેમનો અને મારો લાંબો સંબંધ છે. તેઓ પરફેક્ટ છે, અને સેંસ ઓફ યુમર પણ કમાલનો છે. તેઓ પરફેક્ટ જેન્ટલમેન છે. તેમના માટે પૈસા ક્યારેય મહત્વના નથી રહ્યા. તેઓ થોડા સમય માટે રતન ટાટાને ડેટ કરતા હતા. થોડા સમય બાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું, પરંતુ તેઓ હંમેશા સારા મિત્રો રહેશે.” આમ તેમનો રોમાંસ લગ્નમાં પરિણમ્યો ન હતો, પરંતુ બંને ગાઢ મિત્રો રહ્યા.

Ratan Tata Love Story: સિંગલ રહેવાનો નહોતો કોઈ વસવસો 

એવુ નથી કે દિગ્ગજ ઉધોગપતિને રતન ટાટાને એકવાર જ પ્રેમ થયો. તેઓ પોતાની લાઈફમાં ચાર વખત સીરિયસ રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. તમામ સંબંધમાં તેઓ લગ્ન સુધી લઈ જવા માગતા હતા. પરંતુ કોઈને કોઈ કારણોસર તેમના રિલેશન તૂટી ગયા. ત્યારબાદ તેમણે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યુ. એ વાત બધા જ જાણે છે કે રતન ટાટા આજીવન અપરણિત રહ્યા. આ વાતનો તેમને કોઈ વસવસો પણ નહોતો. જોકે તેમણે ઘણીવાર નિવેદન પણ આપ્યુ છે કે, ‘સારું થયું કે હું સિંગલ રહ્યો. કારણ કે જો લગ્ન કરી લીધા હોત, તો કદાચ સ્થિતિ ખૂબ જટિલ બની જાત’.

 

Ram Mandir Donation Theft SIT Arrest રામ મંદિરના ચઢાવાની ચોરી કરનારા પાપીઓ ગણતરીના દિવસોમાં જેલ ભેગા! SIT એ તમામ ૮ નામજોગ આરોપીઓને દબોચ્યા
Industrial Commercial LPG Restrictions Removed ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ LPG ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર! સરકારે બલ્ક સપ્લાય પરથી પણ હટાવ્યો આ મોટો પ્રતિબંધ
LPG PNG New Connection Rules સરકારનો મોટો નિર્ણય! હવે PNG હોવા છતાં પાછું મળશે એલપીજી સિલિન્ડર કનેક્શન, ગ્રાહકોએ બસ કરવું પડશે આ નાનકડું કામ
Shamali UP Police Encounter Mehtab ૫૦ હજારના ઇનામી ગુનેગાર ‘બેચૈન’નું એન્કાઉન્ટર, યુપી પોલીસના સપાટાથી ગુનેગારોમાં ફફડાટ
Exit mobile version