Site icon News Continuous Bureau | Mumbai

RBI Digital Payments: ઓનલાઈન ફ્રોડ પર હવે કડક કાર્યવાહી, આરબીઆઈ એ ડિજિટલ પેમેન્ટ્સ ને લઈને લીધો આ નિર્ણય

RBI Digital Payments: ૧ એપ્રિલ, ૨૦૨૬થી નવા નિયમો લાગુ થશે; એસએમએસ ઓટીપી ઉપરાંત ફિંગરપ્રિન્ટ અને બાયોમેટ્રિક્સ જેવા વિકલ્પોનો થશે ઉપયોગ

RBI Tightens Grip on Online Fraud, Mandates Two-Factor Authentication for Digital Payments from April 2026

RBI Tightens Grip on Online Fraud, Mandates Two-Factor Authentication for Digital Payments from April 2026

News Continuous Bureau | Mumbai

RBI Digital Payments: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ દેશમાં ડિજિટલ પેમેન્ટ્સને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવા માટે એક મોટું પગલું લેવાની જાહેરાત કરી છે. આરબીઆઈ હવે ઓનલાઈન વ્યવહારો માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ને ફરજિયાત કરવા જઈ રહી છે. આ નિયમો ૧ એપ્રિલ, ૨૦૨૬થી લાગુ થશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીના વધતા બનાવોને નિયંત્રિત કરવાનો અને ગ્રાહકોના નાણાંને સુરક્ષા પૂરી પાડવાનો છે. આરબીઆઈ ના આ કડક પગલાંથી હવે ઓનલાઈન લેવડદેવડ કરવી વધુ વિશ્વસનીય બનશે.

Join Our WhatsApp Channel

શું છે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન? કયા નવા વિકલ્પો મળશે?

ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે નાણાકીય લેવડદેવડની ઓળખ બે અલગ-અલગ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવશે. હાલમાં, મોટાભાગના વ્યવહારો માટે એસએમએસ ઓટીપી (વન-ટાઇમ પાસવર્ડ) નો ઉપયોગ થાય છે. હવે આરબીઆઈ એ માહિતી આપી છે કે એસએમએસ ઓટીપી ઉપરાંત અન્ય સુરક્ષિત વિકલ્પોનો ઉપયોગ કરી શકાશે, જેમાં પાસવર્ડ, પાસફ્રેઝ, પિન, ડેબિટ કાર્ડ, સોફ્ટવેર ટોકન, ફિંગરપ્રિન્ટ અથવા બાયોમેટ્રિક્સ જેવા વિકલ્પોનો સમાવેશ થાય છે. આનાથી યુઝર્સને લેવડદેવડ કરવાની વધુ સારી અને સુરક્ષિત રીત મળશે.

આ સમાચાર પણ વાંચો : Rani Mukerji : જાણો કેમ નેશનલ એવોર્ડ માં રાની મુખર્જી એ પહેર્યો હતો તેની દીકરી ના નામ નો નેકલેસ, અભિનેત્રી એ કર્યો ખુલાસો

આ નવા નિયમોની જરૂરિયાત કેમ ઊભી થઈ?

RBI Digital Payments: ભારતમાં દૈનિક ઓનલાઈન પેમેન્ટ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. શાકભાજીના લારીવાળાથી લઈને મોટી દુકાનો સુધી, દરેક જગ્યાએ ડિજિટલ પેમેન્ટ્સનો સ્વીકાર થઈ રહ્યો છે. જોકે, આ પ્રગતિની સાથે સાથે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં પણ વધારો થયો છે. ઘણીવાર લોકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બનીને પોતાની મહેનતની કમાણી ગુમાવે છે. આ ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં લોકો ડિજિટલ અરેસ્ટ જેવી પરિસ્થિતિનો સામનો કરે છે, પરંતુ પોલીસને જાણ કરવામાં ખચકાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે આ કડક પગલું લેવાનો નિર્ણય કર્યો છે.

નિયમોનું પાલન ન કરનાર ગ્રાહકોનું શું થશે?

આરબીઆઈએ સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે કે જો કોઈ ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ દરમિયાન ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનના આ નવા નિયમોનું પાલન નહીં કરે અને જો તેને કોઈ આર્થિક નુકસાન થશે, તો તે નુકસાનની ભરપાઈ ગ્રાહકે જાતે જ ભોગવવી પડશે. આનો અર્થ એ છે કે બેંકો કે પેમેન્ટ સેવા પ્રદાતાઓ આવા કિસ્સાઓમાં જવાબદાર રહેશે નહીં. તેથી, તમામ ડિજિટલ યુઝર્સે ૧ એપ્રિલ, ૨૦૨૬ પહેલાં નવા નિયમો અને સુરક્ષા પદ્ધતિઓ વિશે જાગૃત થવું અને તેનું પાલન કરવું અનિવાર્ય છે.

 

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
Gold Price Today। લગ્નસરા વચ્ચે સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો ૨૨ કેરેટ અને ૨૪ કેરેટનો આજનો ભાવ
Exit mobile version