News Continuous Bureau | Mumbai

Shri Kashi Vishwanath Mandir Prasad: શ્રાવણ મહિનામાં દેશભરમાં ઘરઆંગણે સ્પીડ પોસ્ટ દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મેળવો – પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Shri Kashi Vishwanath Mandir Prasad: ટપાલ વિભાગ દ્વારા માત્ર ₹251નો ઈ-મની ઓર્ડર મોકલીને ઘરે બેઠા શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મેળવો

  News Continuous Bureau | Mumbai 

Shri Kashi Vishwanath Mandir Prasad:  22મી જુલાઈથી શ્રાવણનો ( Shravana ) પવિત્ર માસ શરૂ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન કરી શકે અને તેમના આશીર્વાદ મેળવી શકે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શ્રી કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન બાદ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો ગુજરાત સહિત દેશના કોઈપણ ખૂણામાં ઘરે બેસીને શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ તેમના ઘરે બેઠા મેળવી શકે છે. શ્રાવણ મહિનામાં આ માટે ટપાલ વિભાગે ( Postal Department )  ખાસ વ્યવસ્થા કરી છે. ઉપરોક્ત માહિતી અમદાવાદ રિજિયનના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી હતી, જેમની તાજેતરમાં વારાણસી થી અહીં બદલી થઈ છે. 

Join Our WhatsApp Channel
Receive Shri Kashi Vishwanath Mandir Prasad by Speed ​​Post at Doorstep nationwide in the month of Shravan - Postmaster General Krishna Kumar Yadav

Receive Shri Kashi Vishwanath Mandir Prasad by Speed ​​Post at Doorstep nationwide in the month of Shravan – Postmaster General Krishna Kumar Yadav

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પોસ્ટ વિભાગ અને શ્રી કાશી વિશ્વનાથ મંદિર ( Shri Kashi Vishwanath Mandir )  ટ્રસ્ટ વચ્ચે થયેલા કરાર હેઠળ, દેશના કોઈપણ ખૂણામાં રહેતા ભક્તો સ્પીડ પોસ્ટ ( Speed ​​post ) દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાંથી પ્રસાદ મંગાવી શકે છે. આ સેવાનો લાભ લેવા માટે, ₹ 251 નો ઈ-મની ઓર્ડર નજીકની પોસ્ટ ઓફિસમાંથી સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોસ્ટ ઑફિસ,વારાણસી (પૂર્વ) વિભાગ-221001ના નામે મોકલવાનો રહેશે. ઈ-મની ઓર્ડર મળતાની સાથે જ સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ તરત જ સરનામે મોકલવામાં આવશે. પેકેજ્ડ પ્રસાદ ટેમ્પર પ્રૂફ એન્વલપમાં હશે, જેના પર વારાણસીના ઘાટ પર જારી કરાયેલ ટપાલ ટિકિટની પ્રતિકૃતિ અંકિત છે. તેમાં કોઈપણ રીતે ચેડા થઈ શકે નહીં.

Shri Kashi Vishwanath Mandir Prasad: શ્રી કાશી વિશ્વનાથ પ્રસાદની સામગ્રી

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પ્રસાદમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુંજય યંત્ર, શ્રી શિવ ચાલીસા, રૂદ્રાક્ષની 108 માળા, માતા અન્નપૂર્ણા, ભભૂતિ, રક્ષા સૂત્ર, ભોલે બાબાની છબી કોતરવામાં આવેલ સિક્કો શામેલ છે. ડ્રાય ફ્રૂટ્સ, મિશ્રી પેકેટ વગેરે. પ્રસાદ ડ્રાય હોવાથી તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે.

Receive Shri Kashi Vishwanath Mandir Prasad by Speed ​​Post at Doorstep nationwide in the month of Shravan – Postmaster General Krishna Kumar Yadav

આ સમાચાર પણ વાંચો  :  Meghalaya CM: મેઘાલયના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ટપાલ વિભાગે એવી વ્યવસ્થા પણ કરી છે કે ભક્તોને એસએમએસ દ્વારા મોબાઇલ નંબર પર સ્પીડ પોસ્ટની વિગતો મળી શકે. આ માટે ઈ-મની ઓર્ડરમાં તેમનું પૂરું સરનામું, પિન કોડ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

 

Amritsar Army Camp Blast News। પંજાબમાં ફરી ધડાકો જલંધર બાદ અમૃતસરમાં આર્મી કેમ્પની બહાર બ્લાસ્ટ, આખા વિસ્તારમાં મચ્યો હાહાકાર
West Bengal New Assembly Notification 2026। બંગાળ વિધાનસભાની રચનાનો માર્ગ સાફ! ચૂંટણી પંચના નોટિફિકેશન બાદ રાજકીય હલચલ તેજ, જાણો હવે આગળ શું થશે?
West Bengal CM Race। બંગાળમાં ૯ મેના રોજ શપથ ગ્રહણ શું ભાજપ આપશે મહિલા મુખ્યમંત્રી? આ ૩ દિગ્ગજ નામો પર ચર્ચાઓ તેજ
West Bengal Post Poll Violence| બંગાળમાં ‘બુલડોઝર એક્શન’થી રાજકારણ ગરમાયું TMC કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા, બંગાળમાં સ્થિતિ તણાવપૂર્ણ
Exit mobile version